SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. પ્રવૃત્તિમાં પડયા છે. તેઓનું લક્ષ્યબિંદુ તે ધન સંચય કરે અને પ્રામાયને ભંગ કરીને મજશેખમાં મશગુલ - હેવું. ગમે તે રીત્યા ધન પ્રાપ્ત કરવું. આવી રીતે જે લક્ષ્મી પ્રાપ્ત કરવામાં આવે તે વચનના ભંગને દેષ અવશ્ય આવ્યા વિના રહેતું નથી. જ્યાં કરડેની સંખ્યામાં સ્વજાતીય, એકદેશીય મનુષ્ય ત્રણ ત્રણ દિવસના અંતરે પણ રેટલાને ટુકડે પ્રાપ્ત કરતા નથી ત્યાં લાખો મનુષ્ય સ્વજશોખમાં, વેશ્યાઓના ગૃહમાં, ગાનારીઓના નાચ ઉપર ફિદા થાય છે. નહિ આરેગવાયેગ્ય પદાર્થોનું સેવન કરે છે, એટલું જ નહિ પરંતુ જાહેરસભાઓના માચડા ઉપર સ્વધનની બડાઈમાં તણુતા દેશદ્વારના મોટા લાંબા વાનરપુચ્છવતુ ભાષણની ભવાઈઓમાં તાળીઓના ગડગડાટ શ્રવણ કરવાને માચડા અગર પુલમીટ ઉપર આવી સ્વજાત્યનતિનાં ભાષણે આપે છે, એ કેટલું શેચનીય છે? સર્વ જાણે છે કે ભાઈ શ્રી પાંચે કેટલાં વચનને ભંગ કરીને ધન પ્રાપ્ત કર્યું છે અને કેવી રીતે તેવા ધનને વ્યય કરે છે. અહા ! હિંદુસ્થાનમાં જ્યાં સુધી આવા હજારે મનુષ્ય વસે છે ત્યાં સુધી કઈ પણ રીતે આર્થિક વા અન્ય ઉન્નતિનું બિંદુ પણ દેખાય તે આકાશકુસુમવત્ છે. જ્યારે કાન્સની હદ ઉપરાંત અત્યંત ફેશન વધી ત્યારે આધુનિક વિગ્રહ કે જેણે કેન્સની ફેસનની સ્થિતિમાંથી લેકેને જાગ્રત કર્યા. ફેસનબાઈને સદાની તિલાંજલી આપવાનો સમય આવ્યે. વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે, છતાં પણ આધુનિક અર્ધદગ્ધ ઈંગ્લીશ ભાષાની કેળવણી પામેલા યુવાનનું લક્ષ્યબિંદુ મોજશોખ, મિષ્ટભંજન, સ્વાર્થ, કાપટથ અને ગેલાઓની સ્થિતિ, એટલામાં સમાયેલું માલુમ પડે છે. જરા તમારા પલંગની પથારીના એક ખુણામાં વિચારતે કરે કે તમે કેવી રીતે ધન પ્રાપ્ત કર્યું છે. અનેક તિજ્ઞા ભંગકોએ પ્રમાણિકપણાને તિલાંજલિ આપી છે. આવા કેટલાક વચન ભંગી સ્વાર્થીઓને લઈને વિદેશીઓ હિંદિઓનું પ્રામાણ્ય સ્વીકારતા નથી. જ્યારે આવી સ્થિતિ છે, ત્યારે હિંદુરથાનની ઉન્નતિને માટે બરાડા પાડવામાં આવે છે. એ કેટલી દુર્દશાનું ભાન કરાવે છે? પ્રિય વાચક! સ્વતંત્ર બનવાને For Private And Personal Use Only
SR No.008639
Book TitlePratigya Palan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy