________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
મહાકવિ શોભનમુનિ
અને તેમની કૃતિ.
- “કવિ, જગની એક અનેરી વિભૂતિ છે. કવિત્વ શક્તિ કુદરતની અપૂર્વ બક્ષિસ છે. હજારે ધનાલ્યો કે રાજાઓ જગતને જે લાભ ન આપી શકે તે લાભ ધારે તે એક સાચે કવિ આપી શકે છે. કવિને કવિત્વ શક્તિ શોધવા જવી પડતી નથી. સ્વયમેવ તે શક્તિ સાચા કવિને વરવા આવે છે. આ કુદરતી કવિજ જગને અવનો આનંદ આપી શકે છે. “કવિ જગના ગમે તેવા પદાર્થોનું સૂક્ષમતમ નિરીક્ષણ કરી તે પદાર્થોને પોતાની કલ્પના શક્તિથી વર્ણવી સુંદર બનાવે છે, અને તે દ્વારા તેમાં તે અને રસ ઉત્પન્ન કરે છે. એ જ કવિની ખરી ખૂબી છે “ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ લોક કહેવતની પણ આવા કવિ માટે જ સાર્થકતા ગણી શકાય.
For Private And Personal Use Only