________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૭૫ :
શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન સકળ સુરાસુર સાહિબ, નમિયે જિનવર નેમ પંચમી તિથિ જગ પરવડે, પાળે દિન બહુ પ્રેમ. ૧ જિન કલ્યાણુક એ તિથે, સંભવ કેવળજ્ઞાન સુવિધિ જિનેશ્વર જનમિયા, સેવે થઈ સાવધાન. ૨ ચ્યવન ચંદ્ર પ્રભુ જાણીએ, અજિત સુમતિ અનંત, પંચમી દિન મેક્ષે ગયા, ભેટે ભવિજન સંત. ૩ કંથ જિન સંજમ રહ્યો, પંચમી ગતિ જિનધર્મ; નેમિ જન્મ વખાણીએ, પંચમી તિથિ જગશમ. ૪ પંચમીના આરાધને, પામે પંચમ જ્ઞાન ગુણમંજરી વરદત્ત જે, પહેતા મોક્ષ સુથાન. ૫ કાર્તિક દિન પંચમીથકી, તપ માંડીજે ખાસ પંચ વર્ષ આરાધીએ, ઉપર વળી પંચ માસ. ૬ દશ ક્ષેત્રે નેવું જિનતણું, પંચમી દિન કલ્યાણ એહ તિથે આરાધતાં, પામે શિવપદ ઠાણ. ૭ પડિક્રમણ દેય ટંકના, કરીએ શુદ્ધ આચાર; દેવ વંદી વિહુ કાળના, પહોંચાડે ભવપાર. ૮ નમો નાગરણ ગુણ ગણે, નકારવાળી વીશ; સામાયિક શુધ્ધ મને, ધરીએ શિયળ જગીશ. ૯ અણી પરે પંચમી પાળશે, ભવિજન પ્રાણી જેહ, અજરામર સુખ પામશે, હંસ કહે ગુણગેહ, ૧e
For Private And Personal Use Only