SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫). પરમાત્માને સંભારતે ક્ષણે ક્ષણે જીવે છે અને અન્યોને પણ છવાઈ શકે છે. શુદ્ધાત્માનું સ્વરૂપ સ્મરણ કરવું, પરમેશ્વરમાં પોતાનું મન લયલીન કરવું, તેજ પ્રભુમાં રહેવાનું છે અને તેવી રીતે પ્રભુમાં રહીને બાહ્ય દુનીયામાં આજીવીકાદી સંબંધે વર્તાવાનુ થાય છે તેથી આત્મા નિર્લેપ રહીને આત્માની શુદ્ધિ પ્રાપ્ત કરી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. આવી દશામાં રહેવા ખાસ ઉપયોગ રાખવે. હું પણ તે ઉપગ રાખવાને પુરૂષાર્થ કરૂ છું. જગમાં તેથી કઈ રાગી દ્વેષી રહ્યું નથી અને જગતમાં પ્રભુમાં રહીને આત્મપ્રભુને પ્રગટાવવા આત્મોપગે જવાય છે અને બાહ્યાથી આયુષ્યઉદયે પણ શરીરથી છવાય છેઆવી રીતે બે નંખા જીવનને અનુભવાય છે. અને વર્તાય છે, અને શુદ્ધ પુર્ણ પરમાત્મા થવા માટે અંતરમાં ઉપયોગ દશાથી મેડની સાથે યુદ્ધ થાય છે અને તેવું યુદ્ધ અંતરમાં ચાલે છે તેને અનુભવ થાય છે. આવા યુદ્ધમાં દેહને પ્રાણનું મૃત્યુ થતાં આત્માને વિજય થાય છે એ નિઃશંસય વાત છે. એમાં ક્ષણ માત્રને પ્રમાદ કર્યા વિના આગળ વધવાની જરૂર છે અને આત્માના પ્રદેશ જે અનુભવજ્ઞાન નહી પામેલા હોય તે પ્રાપ્ત કરવાની જરૂર છે. “ આત્મ સમાધી શતક” નામના સંસ્કૃત ગ્રંથમાં અમેએ મરણ કાલે ઉપગ રાખવાની દીશા જણાવી છે. એકવાર આત્માને પુર્ણ નીત્યત્વપણને અનુભવ થયે કે તે પછીથી આત્મા તરતજ નિર્ભય થવાનેજ અને “આખા જગતના જીવને ડરાવનાર મૃત્યુની સામે તે નિર્ભય થઈને ઉભે રહેવાનેજ અને આત્મા શુરવીર બનવાનેજ આત્માની અનંતી શક્તી છે. એક્વાર તેને અમરપણાનુ જે ભાન થયું અને તેના પુર્ણ સરકાર પાડ્યા તે પછીથી તે વસ્ત્રને બદલવાની પેઠે મરણના ખેલને સમજે છે. એટલે તેમાં તેને કશું લાગતુજ નથી. આવી દશા પ્રકટ કરવા માટે પહેલાથી જ નીરૂપાધી નીવૃત્તી મેળવવી જોઈએ અને જ્ઞાનીઓની સંગતી કરવી જોઈએ અને સર્વ ને ખમાવી લેવા For Private And Personal Use Only
SR No.008631
Book TitlePatrasadupadesh Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy