SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ ઉપકાર થાય છે, જૈનધર્મનાં પુસ્તક વાંચીને અનેક જીવે મુક્તિમાર્ગ સન્મુખ થાય છે, માટે ભાવ ઉપકાર સમાન કેઈ ઉપકાર નથી. જે મહાત્મા એક જીવને જૈનધર્મની શ્રદ્ધા કરાવે છે તે ચઉદરાજ લેકમાં રહેલા જીવોને અભયદાન આપે છે એમ ઉપદેશમાલામાં કહ્યું છે. તેથી સ્પષ્ટ સિદ્ધાંત કરાય છે કે, ભાવ ઉપકાર કરનારાની બલિહારી છે, જેનધર્મના ગ્રન્થ રચનારને એકાંત ભાવ ઉપકારનું ફળ મળે છે, અને વાંચનારને ફળ મળે વા નહિ તેની ભજના જાણવી, શ્રતજ્ઞાનરૂપ ગ્રન્થ છે એક તીર્થ છે. “તીર્થશબ્દ”થી શ્રુતજ્ઞાનનું આચાર્યોએ સિદ્ધાંતમાં ગ્રહણ કર્યું છે, શ્રુતજ્ઞાનના પણ અનુયેગન ભેદે ચાર ભેદ પડે છે. “ચરણ કરણનુગ, ગણિતાનુયેગ, ધર્મકથાનુગ અને કવ્યાનુગ” આ ચારગમાં દ્રવ્યાનુયોગનું જ્ઞાન શ્રેષ્ઠ કહેવાય છે. કારણ કે દ્રવ્યાનુયેગનું જ્ઞાન થતાં સમ્યકત્વરત્નની પ્રાપ્તિ થાય છે, જદ્રવ્ય, સાતનય, સપ્તભંગી, નિક્ષેપ, અને અધ્યાત્મ શાસ્ત્રને સમાવેશ દ્રવ્યાનુયેગમાં થાય છે. દ્રવ્યાનુયેગની ઉત્તમતા માટે શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે, ऐनो जेणे पाम्यो त्याग, ओघे एहनो जेणे राग; एबेवण त्रीजो नहि साध, भाष्यो सम्मति अर्थ अगाध.१ ए योगे जो लागे रंग, आधाकर्मादिक नहि भंग; सम्मतितकें इस्यु भण्गुं, सद्गुरु पासे इस्युमें मुण्य. २ જેણે દ્રવ્યાનુયેગનું પૂર્ણજ્ઞાન કર્યું. વા એ જેને એને રાગ છે એ બે વિના ત્રીજે સાધુ નથી. એમ સમ્મતિતર્કમાં અગાધ અર્થ પ્રરૂપે છે. દ્રવ્યાનુયેગમાં જે રંગ લાગે તે સાધુને આધાકર્મદિક આહાર લેતાં પણ દોષ લાગતો નથી, એમ સમ્મતિતર્કમાં કહ્યું છે. જ્ઞાન સર્વથી આરાધક છે, અને કિયા દેશથી આરાધક છે. અનેક ગ્રંથે જતાં દ્રવ્યાનુયેગથી સત્યજ્ઞાન થાય છે એમ For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy