________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૩૪
શ્રી પરમાત્મ જ્યોતિઃ અને ભવિષ્યમાં નિર્મલ થઈશ. ભવિષ્ય જીવન ઉરચ કરવાને આ આવશ્યક ઉપાય હૃદયમાં ધારણ કરજે. મારા કહ્યા પ્રમાણે તું વતશતે હારી ઉચ્ચ સ્થિતિ થશે. અને અન્ય પણ આવી શુદ્ધપ્રવૃત્તિમાં દેરાશે. આવી શુદ્ધપ્રવૃત્તિથી આર્યજનેના જન્મની સાફલ્યતા છે. આર્યજને પણ આવી શુદ્ધ પ્રવૃત્તિથી આર્ય થઈ શકે છે. ઘરમાં હોવ કે બહાર હાવ પણ જ્યારે સમય થાય ત્યારે આ પ્રમાણે ભાવને ભાવવી, ગાડીમાં અથવા કદાપિ ચાલતાં પણ આ અવશ્યક કૃત્ય સ્મરણ કરી જવું. કાર્ય પ્રસંગથી કદાપિ સંધ્યા પશ્ચાત્ પણ કરવામાં આવે તે પણ હરકત નથી. આવશ્યકૃત્યપ્રવૃત્તિ કદી ભૂલવી નહિ. આ પ્રમાણે આવશ્યક કૃત્ય પ્રવૃત્તિ કરવાથી અનેક જ પરમાત્મપદ પામ્યા પામે છે અને પામશે. આવી યથાર્થ પ્રવૃત્તિ માટે ઉદ્યમ કરે. હે ભવ્ય! આવી પ્રવૃત્તિમાં પ્રથમ વિન જણાય તે પણ હિંમત હારવી નહીં. સદાકાળ તેમાં રાચામાચી રહેવું. હે ભવ્ય ! કર્મના વિપાકે ભોગવતા છતાં પણ દૈવસિક અને રાત્રી સંબંધી દે ટાળવા માટે આ શ્રેષ્ઠ ઉપાય બતાવે છે તે આચારમાં મૂકજે, કહીને બેસી રહેવાનું નથી પણ કરીને બતાવવાનું છે. બોલવું તે રૂપું છે. અને કરવું તે સુવર્ણ સમાન છે. આ પ્રમાણે પ્રતિદિન પ્રવૃત્તિ કરશે. એટલું કહીને વિરમું છું. શ્રી સદગુરૂને ઉપદેશ સાંભળી માણેકલાલે ગુરૂને વંદન કરી કહ્યું કે હે સદ્દગુરૂ મહારાજ આપને કહેલો ઉપદેશ યથાર્થ છે. આપના સદુપદેશથી મને મોક્ષપુરી માર્ગનાં દ્વાર ઉઘાડવાની નવી કુંચી મળી છે. આપના સદુપદેશથી મારું જીવન સુધરશે. એમ પૂર્ણ વિશ્વાસ થયે છે. આજપર્યંત મારા આત્મજીવનમાં સુધારો થયે નહિ. આનંદનું ભાન થયું નહિ. પણ હવે સર્વ મનેર સફલ થયા. મારા ઉચ્ચ જીવનમાં પરિપૂર્ણ પ્રવૃત્તિ કરીશ. જ્ઞાનદર્શનચારિત્રનું ઉત્તમ રહસ્ય પ્રાપ્ત કરીશ. સત્ય સમજી અસત્યની પ્રવૃત્તિ પરિહરીશ. એમ આજથી દઢ સંકલ્પ કર્યો છે. દુનિયા દીવાની ગમે તેમ
For Private And Personal Use Only