SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ મિત્રમૈત્રી. કહેવામાં અતિશક્તિ નથી. વાતને વિશ્રામભૂત પ્રમાણિક મિત્ર છે. પ્રમાણિક મિત્રની પૂજ્યતા માટે જેટલું કહીએ તેટલું ન્યૂન છે. પ્રમાણિક મિત્રના બળથી પ્રમાણિકતા આવે છે અને અનેક દુઃખને નાશ થાય છે માટે મનુષ્યએ પ્રમાણિક મિત્રે પ્રાપ્ત કરવા જોઈએ. સજ્જન મિત્રમેળથી આત્માની કેવી ઉન્નતિ થાય છે તે જણાવે છે. સજજનમિત્રના મેળથી, જીવન સફળતા હાય; જ્ઞાની મિત્ર મળ્યા થકી, નડે ન નિજને કેય. પ૫ વિવેચન –સજન મિત્રના સંગથી જીવનની સફળતા થાય છે. જીવનને ઉદ્દેશ જ્ઞાન, તપ અને ચારિત્ર સેવી આત્મામાં રહેલી પરમાત્મશક્તિ ફેરવવાની યથાશક્તિ મહેનત કરી દિવ્ય-ધામે પહોચવા જીવનપ્રવાહ આગળને આગળ વધારવાને હર્ષ તે ઉપદેશાનુસાર જે આન્તરિક સુષ્ટિની શુદ્ધિની જરૂર છે, તેવી જ રીતે બાહ્યસુષ્ટિની શાન્તિની આવશ્યકતા છે. Man is the creature of circumstances સગે માણસને બનાવે છે. તે પ્રમાણે મિત્રે નીકટના સંબંધી હાઈ સોની ઉત્પત્તિમાં ભાગ લેનાર છે. સજજન મિત્રના સંબંધથી શુભસંયોગે દુર્જનના સંબંધી અશુભ સાગ અને અનુકમે ફળપ્રાપ્તિ પણ તેજ પ્રમાણે થાય છે. સજજનની મિત્રાચારીમાં જીવનમાં કલેશ, દુઃખ, વિહવળતા, ઉદાસીનપણું વગેજેને બદલે શનિ, સુખ અને આનંદ નજરે પડે છે. જીવનમાં રસ માધ્યમ પડે છે અને જીવનઝરણું શુષ્ક થતું નથી. કહ્યું છે કે, महानुभाषसंसर्गः कस्य नोतिकारकः । रथ्याम्बु जान्हवी सङ्गा त्रिशैरपि वन्द्यते ॥ “મહાત્મા પુરૂષના સંબંધ કોની ઉન્નતિ કરતે નથી? સર્વની કરે છે. શેરીના પાણીને ગંગાના સંગથી દેવતાઓ પણ નમે છે.” વળી સસંગતિથી અવશ્ય લાભ થાય છે. એમરસનું કહે છે કે For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy