SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. પિતાની છાનામાં છાની વાત હોય તે યોગ્ય મિત્રની આગળ જાહેર કરતાં જેઓ જરા માત્ર અચકાય નહીં, તેમજ સ્વમિત્રની ગુપ્ત વાતને હૃદય પટમાં એવી રીતે ગુપ્ત રોપવી રાખે કે તે વાત જાહેરમાં ન લાવવી હોય તે મરણુપર્યત પણ જાહેરમાં ન આવવા દે. પિતાને ત્યાં પ્રસંગ આવે છતે મિત્રને એગ્ય ભેટ આપે અને મિત્રને ત્યાં પ્રસંગ આવે તે જે ભેટ આપે તે હર્ષથી સ્વીકારે, ઉચિત રીતે મિત્રની પ્રસંશાથી તેના ગુણને વિસ્તાર, આવી રીતે પરસ્પર હૃદયમાં ભેદ રાખ્યા વિના ગુણેની આપ તેની સાથે સરલતા રાખવામાં આવે ત્યાં મિત્રતા બંધાય છે અને નભે છે. ઉપર પ્રમાણે મિત્રનાં લક્ષણો અને તેને વ્યવહાર જાણી મિત્રતા કરવી જોઈએ. દુર્જન મિત્ર જે કદાપિ બન્યું તે તેના સમું કેાઈ દુખ નથી; કારણ કે જે મિત્રને દુશ્મન થઈ જે કઈ અશુભ કરે છે તેને અન્ય કઈ તટસ્થ સજજન કરી શકતું નથી. સુખ અને દુઃખ કરનારા સંબંધીઓને જણાવે છે. મિત્ર, નારી, ને શિષ્ય ત્રણ, સુખ કરનારા હે; પણ દુઃખ દેનારા બને, એ સમ વિશ્વ ન કેય, ૪૭ આ વિશ્વમાં પિતાને વહાલે મિત્ર, પિતાની સ્ત્રી અને ગુરૂને શિષ્ય, એ દ્રશ્ય સુખ આપનારા દેખાય છે પણ જે તેઓ નીચ નિકળે તે તેના જેવા દુઃખને દેનારા બીજા કોઈ હેતા નથી. ગૃહસ્થને મિત્રની પેઠે સ્ત્રી પણ સુખકારિકા હોય છે અને સાધુઓને, ગુરૂઓને શિષ્ય સુખકારક હોય છે. મિત્રની પેઠે સ્ત્રીમાં પણ સજજનતા હોય છે તે તે સુખકારિકા બને છે, સ્ત્રીમાં વિશુદ્ધ પ્રેમ હવે જોઈએ. વિશુદ્ધ પ્રેમ વિના સ્ત્રીનું જીવન શોભી શકતું નથી. કેધ, માન, ઈર્ષ્યા, અસંતોષ અને શંકારહિત પ્રેમને વિશુદ્ધ પ્રેમ કથવામાં આવે છે. ગૃહિણીનાં કર્તવ્ય નીચે પ્રમાણે છે. मन्तव्या जननीव साम्पतमसौश्वथः प्रपूज्योत्तमा। संसेव्यायमुरुस्तुतातसदृशः पूज्यः कुलीन स्त्रिया ।। For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy