SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. દેખવા નહીં, તેમના દોષે અન્ય આગળ ન કહેવા. ૧૪ મિત્રની ઉનતિ થાય એવી ગ્ય પ્રવૃત્તિ કરવી. ૧૫ મિત્રનું જે રીતે ભલું થાય તેવા ઉપાય લેવા. ૧૫ સવિચારે અને સદાચારેવડે મિત્રેની પુષ્ટિ કરવી. ૧૭ મિત્રોને પ્રસંગે પાત્ત શુભ સૂચનાઓ કર્યા કરવી. ૧૮ પરસ્પરને પુછી ખુલાસા કરી વિરોધી પ્રસંગને દૂર કરવા. ૧૯ કેઈના કહેવાથી વા ભયથી વા બીજા કેઈ કારણે અન્ય, મિત્રોની મિત્રતા છેડાવવા પ્રયત્ન કરે છે તેથી મિત્રને ત્યાગ કરે નહીં. ૨૦ દુર્ગુણ મિત્ર હોય તો પણ તેને સુધારવા પ્રયત્ન કરે. ૨૧ મિના આત્માઓ તરફ જેવું. ૨૨ મિત્રની સાથે વૈર, પ્રતિકુળતા ન થાય એવી રીતે વર્તવું. ૨૩ મિત્રોની સાથે સ્વાર્થ રહિત વિશુદ્ધ પ્રેમ રાખ. ૨૪ મિત્રોની સાથે વિવેકથી કર્તવ્યકાર્યોમાં આત્મભેગી બનવું. ઈત્યાદિ અનેક ગુણો વડે મિત્રની મિત્રતાને સંબંધ ટકાવી રાખનારા લાખમાં વિરલા છે. ઉપર્યુક્ત મિત્ર ગુણેની ટેકને સાચવી મિત્રની સાથે સંબંધ બાંધી સદાકાલ તે પ્રમાણે વર્તવું જોઈએ. મિત્ર પ્રતિ કેવી રીતે વર્તવું જોઈએ? તે જણાવે છે. ટાળે દેશે મિત્રના, સગુણુ કરે પ્રકાશ આ૫માં ત્યાગે નહીં, હણે નહીં વિશ્વાસ, ૨૨ વિવેચનઃ–ખરે મિત્ર પિતાના મિત્રની ખેડખાંપણ અને દોષ દૂર કરી સદ્દગુણને પ્રકાશમાં લાવે છે. તે તે સત્ય તરફ જુએ છે અને ગુણાનુરાગદષ્ટિવડે ગુણેનીજ પ્રશંશા કરે છે. જે સજજન મનુષ્ય, કાદવ સન્મુખ જતા નથી પણ તેને કમળની ઉત્પાદક દાતા ભૂમિ તરીકે લેખે છે તેવી જ રીતે સગુણ મિત્રે પોતાના મિત્રના દુર્ગુણ તરફ નહિ પણ સગુણ તરફ નજર રાખે છે અને તેની તારીફ કરે છે. ખરે મિત્ર હરખની વખતે સહાયક બની મદદ કરે છે અને કદાપિ વિશ્વાસઘાત કરતું નથી. તેઓનું વર્તન તે નીચલી કડીમાં સમાયેલા રહસ્ય મુજબ હોય છે. છુપાતા દોષના ઢગલા, ગુણને થાય ફેલાવે; અનુપમ સુખનું ઝરણું, ખરે એ પ્રેમ પ્રેમીને. For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy