SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૮ વિષયાસક્તિથી કરેલી મત્રીની ત્યાજ્યતા. વિષયાસક્તિથી કરી, રહે ન મિત્રી સદાય; અધમ મિત્રી એ જાણવી, પગપગ દુખે પાય. ૧૮ વિવેચન –જે મનુષ્ય વિષયના બે મિત્રતા બાંધે છે, તે મ.ખેની મિત્રતા લાંબા સમય સુધી ટકતી નથી, કારણ કે તેવી મિત્રી દુર્ગુણની પષક છે. પરસ્પર પંચેન્દ્રિયના વિષયેની આસક્તિથી કરેલી મિત્રતા સદા રહેતી નથી. કીતિની આસક્તિ, ધનની આ સતિ, અમુક પદાર્થની આસક્તિ, અમુક ઈલકાબની આસક્તિ વગેરે આસક્તિયો અથવા લેભથી સદાકાળ મિત્રતા ટકતી નથી. સતે, મહાત્માઓ એવી મિત્રીને અધમ મિત્રી કહે છે. કારણ કે વિષયાસક્તિથી મૈત્રી કરતાં સ્વાર્થી ની ઉત્પત્તિ થાય છે, અને વિષયાસક્તિથી વિષય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતાં અને તે નહિ મળતાં કલેશ, ભેદ, વિશ્વાસઘાત, અપ્રમાણિકપણું, અનીતિ, વૈર વગેરે દુર્ગાનું સેવન કરાય છે, માટે વિષયાસકિતથી થનારી અધમ મિત્રીથી દૂર રહેવું જોઈએ, કારણે કે એવી મૈત્રીથી પગલે પગલે અશાતિ, ઉચાટ, ઉપાધિ, દુઃખ, ભય, દ્વેષ, ખેદ વગેરેને અનુભવ થાય છે. વિષયાસક્તિથી જે જે કર્તવ્ય કરવામાં આવે છે તેમાં શાતિ મળતી નથી પરંતુઉલટી અશાન્તિ થાય છે, જે મૈત્રીમાં સુખને નિર્ધાર કર્યો હોય તો વિષયાસક્તિને નાશ કરે જોઈએ, અને જે બાહ્ય પદાર્થ વિષયેની આસક્તિ, કીર્તિની આસક્તિ વગેરેની ઈચ્છા હોય તે સત્યમિત્રતાને તિલાંજલિ આપવી જોઈએ. વિષયાસક્તિથી કેઈને ભૂતકાળમાં સુખ થયું નથી, વર્તમાનમાં થનાર નથી અને ભવિષ્યમાં થશે નહીં, માટે આસકિતને ત્યાગ કરી મિત્રોની સાથે મિત્રતાની ગાંઠથી બંધાવું જોઈએ. ધનની આસકિત આદિ અનેક પ્રકારની આસકિત હોય છે. આસકિતને ત્યાગ કરીને મિત્રની ફરજો અદા કરવાથી પિતાની સાથે અનેક મનુષ્યની મિત્રતા થાય છે, માટે વિષપાકિની અધમ સત્રીને ત્યાગ કરે. વિષયાસકિતવાળા મનુ For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy