________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ઓછું મન લાવે નહીં, સુવર્ણ પેઠે વાન; વધતું જેનું બહુ રહે, સત્ય મિત્રને જાણુ.
૧૦૬ વિવેચનઃ—જેના મનમાં મિત્ર સંબંધી કંઈ પણ ઓછું આવતું નથી અને જે સુવર્ણની પેઠે મિત્ર કર્તવ્ય કર્મની કટીથી ઘસાય છે, છતાં જેને આત્મા સુવર્ણની પેઠે અધિક ઉજવળ થતું. જય છે, તથા અતિશુદ્ધ થતું જાય છે તે સત્ય મિત્ર જાણો. મિત્રને ધર્મ એ છે કે મિત્ર સંબંધી કંઈ પણ મનમાં ઓછું ન લાવવું. મિત્ર પિતાના સંબંધી યથાયોગ્ય વર્તન ન ચલાવી શકે તે પણ તેના સંબંધી મનમાં અપ્રિય ન લાવવું. મિત્ર પિતાની ફરજો જાળવે ચા ન જાળવે તો પણ પિતાને તે મિત્ર પ્રતિ ફરજ બજાવવાની હોય છે. સુવર્ણ જેમ કે, છેદ, તાપથી પરીક્ષા યોગ્ય થાય છે. તેમ જે મિત્રોની ફરજો બજાવતાં ક૬, તાપ, અને છેદને સહન કરે છે તે સત્યમિત્ર જાણો. મિત્રના પ્રતિ જેને નેહ વધતો જાય છે, અને કર્તવ્ય કાર્યથી પણ વધતું જ જાય છે તથા જે મિત્રની વિરૂદ્ધપ્રવૃત્તિમાં પણ મિત્ર પ્રેમથી વૃદ્ધિ પામે છે તે સત્ય મિત્ર જણ.
મનની પેલી પાર રહેલા આત્માને જેણે મિત્ર તરીકે જાણો છે તેજ સત્ય મિત્ર થઈ શકે છે. આત્માનું આનંદ જ્ઞાન સ્વરૂપ છે તેને પ્રાપ્ત કર્યા બાદ મિત્રેની ફરજો અદા કરવામાં પણ તે સત્ય મિત્ર તરિકે કર્મચાગી બની શકે છે. એવી સ્થિતિ પ્રાપ્ત કરીને સત્ય મિત્ર બનવું જોઈએ.
મિત્ર મેળને રાખ, એ નહીં સહેલી વાત; વગર વિચારે ચાલતાં, થાય મિત્રીની ઘાત. ૧૦૭
વિવેચન-મિત્ર મેળને રાખવે એ કંઈ સહેલી વાત નથી. વિના વિચારે મિત્રની સાથે વર્તનથી મિત્રતાને ઘાત થાય છે. મિત્રની સાથે વર્તવામાં સમચિત ભાષણ કરવું પડે છે અને સમાચિત પ્રવૃત્તિ કરવી પડે છે. મન, વાણી અને કાયાથી સભ્ય થવું પડે છે
For Private And Personal Use Only