SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાળવામાં અને ગૃહસ્થ જૈન બનવામાં કોઈ જાતની કાયરતા પ્રગટતી નથી, પરંતુ તેથી પશુબલ ટળે છે અને આત્મબળ પ્રગટે છે. - ગૃહસ્થજેનોએ ગૃહસ્થ જૈનધર્મનું સ્વાધિકાર દયા કરવી જોઇએ અને સાધુઓના જેવી વ્રત લેવાની ઈચ્છા થાય તે પછી ગૃહવાસમાં ન રહેવું. પિતાના ગૃહસ્થ ધર્મના અધિકારની ફરજોને અદા કરીને ગૃહસ્થ જૈનોએ વર્તવું એમ જૈનશામાં જણાવ્યું છે. લાલાજીએ સમજવું જોઈએ કે જેનાએ અંગ્રેજ સરકારના રાજ્ય પૂર્વે હિંદમાં રાજકીય બાબતમાં અગ્રગણ્ય ભાગ લીધે હતું, પરદેશ-પરદ્વીપમાં પણ વ્યાપારાર્થે મેતિશા શેઠ સરખા જેનો, હિંદુઓની પેઠે ગયા હતા.ગૃહસ્થ જૈન, દુનિયામાં અગર ધર્મ માર્ગમાં નબળે કાયર થઈ જાય એવું જૈન શાસ્ત્રમાં કઈપણ સ્થાને કંઈપણ જણાવવામાં આવ્યું નથી. હાલ તે હિંદુ મુસલમાન રજપુત વૈષણવવણિક અને જૈન વણિકે સર્વે જ્યાં ત્યાં નબળા પડી ગયા છે, ત્યાં એકલા જૈન વણિકેની કાયરતાને દેખી ન થવામાં કાયરતા બતાવવી તે તે હાલના હિંદુ અગર મુસલમાન થવામાં કાયરતા બતાવવા બરાબર છે. લાલાજી તમને અમે પુછીએ છીએ તમેએ વ્યાખ્યા વિના બીજી સ્વરાજ્યારિક બાબતમાં કઇ બહાદુરી બતાવી? તમારા સમાન ધર્મઓએ, બહાદુરી બતાવી કાયરતા ત્યજી છે? તેના પુરાવા જાહેરમાં નામવાર કાર્યથી આપશો? બ્રિટીશ સરકારના રાજ્યમાં સર્વ કેએમાં કાયરપણું આવ્યું છે. રજપુતે અને મુસલમાને પણ નબળા પી ગયા છે તે વૈશ્યમાં પણ વ્યાપારી જે કેમ હોય તે યુરોપમાં અગર હિંદમાં ગમે તે ધર્મ પાળનારી હોય તે તે ભીરૂ-ફાયર સવભાવે રહે છે તેથી જેન બનવામાં કેઈ જાતને દેષ આવતું નથી. વૈષ્ણવ વ્યાપારીએ-હિંદુ વ્યાપારીઓ પણ જૈનવણિક વ્યાપારીમથી રાજયાદિક ચળવળમાં કંઈ વિશેષ બળવાનું નથી તેથી હિંદુ વૈવ બનાવામાં પહેલા નંબરની કાયરતા જણાવવાની તમારે જરૂર હતી, પણ તમેએ તે ન જણાવી તેમાં ભૂલ થઈ અને હિંદુ બનવામાં For Private And Personal Use Only
SR No.008619
Book TitleLala Lajpatray Ane Jain Dharma
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1924
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy