SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનેને અને પ્રભાવ ચરણ કમલન અદ્ધિવાળા ગ્રંથકારપ્રશસ્તિ. (૫૭૫) જનમંદિર બંધાવ્યું અને તેમાં શ્રીવીર સંવત્ (૭૧૯) શુચિ -જયેષ્ટ આષાઢ સુદી પંચમીના દિવસે શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરીને બોતેર (૭૨) ગોષિક-કાર્યવાહક ગઠીઓની સ્થાપના કરી, હેમની પાટપરંપરાએ વિસ્મયકારક અને સુંદર ચારિત્ર ધારક ઘણુ સૂરદ્ર થયા, અનુક્રમે વિક્રમ સંવત્ (૧૩૦૧) માં સૂર્યસમાન તેજસ્વી અને મુનિઓમાં ચૂડામણિ સમાન શ્રી જયસિંહસૂરિ થયા. જેમણે મરૂદેશમાં પીડાતા સંઘને મંત્રથી આકર્ષણ કરેલા જલવડે જીવાડ્યો. તેમની પાટે પ્રભાવશાલી મુનિઓમાં ચૂડામણિ સમાન, નમ્ર જનેને ચિંતામણિ સમાન અને ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા શ્રી પ્રસન્નચંદ્રસૂરિ થયા, જેમના ચરણ કમલને રાજાએ પિતાના મસ્તકને ધારણ કરેલા મુકુટરૂપ સૂર્યના અનેક કિરણેવડે વિકસ્વર કરતા હતા. હેમની પાટે શ્રી મહેંદ્રસૂરિ થયા, દરેક વર્ષે દીન અને દુ:ખી જનોના ઉદ્ધારરૂપ સુકૃત માટે લક્ષને આઓનું માનપૂર્વક દાન આપતા હતા. હેને તૃણની માફક નિર્લોભપણુથી એકદમ ત્યાગ કરી જે મહાત્મા શ્રીમહંમદસાહિ નરેંદ્રની સ્તુતિ પાત્ર થયા કે, એમના સરખા અન્ય કોઈ મુનીંદ્ર નથી, એવા શ્રીમહેંદ્રસૂરિ સર્વ તાપને શાંત કરો. તેમની પાટરૂપ પૂર્વાચલને દીપાવવામાં ખાસ સૂર્ય સમાન બીજા શ્રીજયસિંહસૂરિ થયા. જેમણે ગુરૂ પ્રસાદથી આ શ્રી કુમારપાલ નરેંદ્રનું ચરિત્ર રચ્યું. હેમના પ્રશિષ્ય અવધાનમાં, પ્રમાણ-ન્યાયશાસ્ત્રમાં અને કવિત્વમાં કુશલ એવા શ્રીનયચંદ્રસૂરિ થયા. જેમણે ગુરૂ ભક્તિવડે આ ગ્રંથનો પ્રથમ આદર્શ— લેખ લખે. અતિશય મનહર અને ઉલ્લાસ પામતે સમુદ્ર એજ છે જલ જેનું, દિશાએ રૂપ પત્રની શ્રેણિથી શુશોભિત, પાતાળમાં રહેલા શેષનાગરૂ૫ નાલવડે સંયુક્ત અને લક્ષમીદેવીના For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy