SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમસર્ગ. (પ૬૭) તેઓ હંમેશાં બોધ કરી કેટલાક દિવસે એ હેને શોક મહા મુશીબતે કંઈક ઓછો કરાવ્યો. શ્રીકુમારપાલે વિચાર કર્યો કે, શ્રેષ્ઠ દિવસઈ પ્રતાપમલ્લ ભાણેજને પોતાની રાજ્યગાદીએ બેસારૂં તે વિષપ્રયોગ. ઠીક એમ તે ધારતું હતું, તેટલામાં બહુ તાપને વિસ્તારતે આકસ્મિક જવર પ્રચંડ જવાલાથી વ્યાપ્ત અગ્નિની માફક હેના શરીરમાં પ્રગટ થયે. વરાતુર નરેંદ્રને જોઈ વૈદ્ય કે એકદમ તે વરને ઉતારવા માટે યત્નપૂર્વક સર્વઉપચાર કરવા લાગ્યા. તે સમયે દુષ્ટ હદયવાળા અજયપાલે બહુ યુક્તિથી રાજાને જલની અંદર વિષ આપી દીધું. બાદ કેશ-ખજાનાની કુંચી લઈ અને કેટલુંક સૈન્ય બલાત્યારે પિતાને સ્વાધીન કરી તે દુષ્ટબુદ્ધિ રાજ્યગ્રહણ કરવામાં ઉત્સુક થઈ બેઠા. હવે પિતાના શરીરમાં સંક્રમેલા વિષને જોઈ રાજાએ જલદી વિષને દૂર કરનાર છીપ પિતાના ભંડારમાંથી મંગાવી, કેશાધિપતિએ કહ્યું કે, સ્વામિન ? ભંડારની કુંચી અજયપાલ મહારા હાથમાંથી બલાત્કારે લઈ ગયેલ છે અને તે કેશને ચારે બાજુએ રોકીને બેઠે છે. એ પ્રમાણે કેશાધિપનું વચન સાંભળી વિશુદ્ધ મનવાળા રાજાને બીલકુલ અજયપાલ ઉપર ક્રોધ થયે નહીં, અને પોતે વિચાર કર્યો કે, ભવિતવ્યતા સિવાય કંઈપણ બનતું નથી. આ ગપણ ભવિતવ્યતાને લીધેજ થયો છે. રાજાએ પોતે મંગાવેલી પણ છીપ નહીં આવેલી જોઈ તે સમયે હેની પાસે રહેલે કેઈક ચારણ બે, હે રાજન ? આટલાં બધાં મંદિરે તમે શા માટે બંધાવ્યાં છે? કારણ કે, આપ સ્વામી છતાં પણ આપની મંગાવેલી એક છીપ ન આવી તે આ મંદિરની કાણું સેવા કરશે ? ખરેખર એનું કહેવું સત્ય છે એમ ચમત્કાર પામી ભૂપતિએ તે ચારણને દારિદ્ર નાશક પારિ For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy