SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમસર્ગ. ( પતી). ઉપર પ્રસન્ન થાઓ કે જેથી આપના ધ્યાનવડે હારું મન આપને વિષેજ લીન થાય-આપમય થાય. ત્યાર બાદ કુસુમ સમાન કેમલ સ્તોત્રેવડે ચિરકાલ શ્રી જીતેંદ્રભગવાનની સ્તુતિ કરી શ્રી હેમચંદ્રસૂરિ પણ આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યા. मया प्राप्तो न त्वं, क्वचिदपि भवे प्राचि नियतं, भवभ्रान्तिों चेत, मम कथमियत्ताविरहिता । इदानीं प्राप्तोऽस्मि, त्रिभुवनविभो ? पुण्यवशत स्ततो भक्त्वा क्लेशं, रचय रुचिरं मे शिवमुखम् ॥ १ ॥ “હે ત્રિભુવન વિશે? પૂર્વભવમાં કોઈપણ સમયે આપનાં દર્શન મહને નક્કી થયાં નથી, અન્યથા પ્રમાણુ રહિત ભવભ્રમણ મહને કેવી રીતે પ્રાપ્ત થાય! વળી હાલમાં પુણ્ય યોગથી હું આપને પ્રાપ્ત થયો છું, માટે હારા કલેશને દૂર કરી ઉત્કૃષ્ટ મોક્ષ સુખ મહિને આપે” ત્યાર બાદ શૃંખલા-સાંકળનાં પગથીયાંવડે પર્વતપર ચઢવું બહુ મુશ્કેલ માની શ્રીકુમારપાલરાજાએ સુરાષ્ટ્ર દેશના અધિકારી, શ્રીમાલજ્ઞાતિના આભૂષણ સમાન રાણુશ્રી બદેવની પાસે જુનાગઢની દિશાથી આરંભીને નવીન સુખાવહ પદ્યાનપાનપંક્તિ બંધાવી. ત્યાંથી પ્રયાણ કરી સંઘ સહિત શ્રીકુમારપાલભૂપતિ દેવ તન–પ્રભાસમાં ગયા, ત્યાં ચંદ્રથી અધિક કાંતિદેવપત્તન. મય શ્રી ચંદ્રપ્રભજીનેંદ્રના ચરણકમલમાં સર્વે નમ્યા. અહીંયાં પણ તેજ ઉત્તમ મણિ આપીને જગડુ શ્રેષ્ઠી પૂર્વની માફક પ્રથમેંદ્ર થયે, ખરેખર પુણ્યમાં સત્યુરૂષની તૃષ્ણા અધિકાધિક હોય છે. સર્વ લોકને ઉલ્લંઘન કરનાર તેવું જગડુ શ્રેણીનું ચરિત્ર જોઈ શ્રી કુમારપાલરાજર્ષિ વિસ્મિત થયો અને સંઘાધિપતિ હેને કર્યો, પછી રાજર્ષિએ હેને પૂછયું કે For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy