SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૪) શ્રીકુમારપાળચરિત્ર. સમરસરાણુને ખબર આપી કે, અમારા રાજાની આજ્ઞા તું માન, અને જે બલવાન હેય તે અમારી સાથે યુદ્ધ કર. એ પ્રમાણે દૂતની વાણવડે રાણે એકદમ કોધાયમાન થઈ ગયા અને નિદ્રામાંથી જગાડેલા સિંહની માફક તે સમરસરી યુદ્ધમાં શ્રીઉદયનના હા થઈ ગયા. યુદ્ધમાં ઉત્સાહ ધરાવતા રાજવંશી ક્ષત્રિાવડે પ્રભાવિક તે શત્રુ, દર્પાદિક સહચર વડે મૂર્તિમાન વીરરસની માફક દીપતે હતે. આદ્ય વૈરને પ્રગટ કરતા, યથાયોગ્ય કાર્યને સ્વીકાર કરતા અને અત્યંત ઉત્સાહને પ્રગટ કરતા, સુભટોએ યુદ્ધને પ્રારંભ કર્યો. સમસ્ત શત્રુઓને પિષવાના ધયાનમાં લાગેલા મનવડે પિતાના શરીરે લાગતા શસ્ત્ર ઘાતને પણ સુભટ જાણતા નહોતા. ભયને લીધે જેઓ યુદ્ધ કરવા પ્રથમ ડરતા હતા તેઓ પણ પિતાના સુભટોને હણાયેલા જોઈ બહુ પરાક્રમ બતાવવા લાગ્યા. વળી તે સમયે સુભટે ખs, ભાલા, બાણ, ગદાઓ, કેશ અને મુષ્ટિઓવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. બાદ મહાપરાકમી શત્રુના સિનિકેએ પિતાના સૈન્યને પરાજય કર્યો, તે જોઈ શ્રી ઉદયનમંત્રી પોતે કાલની માફક રૂષ્ટ થઈ યુદ્ધ કરવા તૈયાર થશે. જે મરી ગયા ન હૈ તે તમે જલદી નાસી જાઓ એમનક્કી કહેવા માટે જેમ તેના ધનુના શબ્દ શત્રુઓના કાનમાં પેઠા. તેમજ વિરશિરામણું મંત્રીએ ધનુષ્પ ચઢાવી બહુ બલથી બાણ ફેંકયાં કે તરતજ શત્રુઓ રણક્ષેત્રમાં પડી ગયા એ હેટું આશ્ચર્ય. સિંહ સમાન દઢ પરાક્રમી શ્રી ઉદયનમંત્રીએ યુદ્ધમાં પ્રહાર કરે છતે મૃગલાઓની માફક કયા શત્રુઓ મરણ ન પામ્યા ? કૃતાંત ચમની માફક ઉદયન વીરવડે સર્વ બાજુએથી હણાતા સૈન્યને જેઈ સમરસ બહુ ક્રોધાયમાન થઈ ગયા. પછી કહેડમાં લટક્તા બાણના ભાથા અને હાથમાં ધનુને વહન કરતે, ઉત્કૃષ્ટ વીરરસના ઉત્સાહથી ઉભા થઈ ગયા છે કેશ જેના, યુદ્ધમાં For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy