SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) શ્રી કુમારપાળચરિત્ર. વિચાર કર્યો, અહે! ઈશારેંદ્રનું આ વાક્યાતુર્ય કોઈ નવીન પ્રકારનું છે. કારણકે, મનુષ્ય કીટને દેવીઓ પણ શીલથી ન ચલાવી શકે? સ્વપનમાં પણ યુવતિને જોઈ માણસ જલદી વિહુવલ થાય છે તે સાક્ષાત્ મેહની વલ્લરી સમાન દેવીઓને જોઈ વિવલ થાય તેમાં નવાઈ શી? એમ વિચાર કરી હું હારી પરીક્ષા માટે સ્વર્ગમાંથી એકદમ અહીં આવી અને અસ્થાપહારાદિક સર્વ પ્રપંચ મહે કર્યો. હે ભદ્ર ? મસ્તક છેદનને સ્વીકાર કરીને પણ જે તું પોતાના નિયમથી અલિત થયે નહીં. તેથી ધર્મવીરની ઉપમા હને જ ઘટે છે અને શીલવત પાલનારાઓને મુકુટ પણ તું જ છે. કારણ કે, के शीलं परिशीलयंति न जनाः स्वास्थ्ये व्रतस्थास्तु ते, ये नैव व्यसनेऽपि जीवितमिवोन्मुञ्चन्ति तत् कहिचित् । ग्रीष्मे शैवलिनी तरन्ति न कति स्युस्तारकास्ते परं, श्रोतःप्रोततटावनि घनऋतौ ये तां तरीतुं क्षमाः ॥ १ ॥ “ આગ્ય સમયમાં કયા માણસો શીલવ્રત પાલતા નથી? પરંતુ જેઓ પ્રાણ સંકટમાં પણ જીવિતની માફક કઈ દિવસ શીલને ત્યાગ કરતા નથી તેઓજ સાચા વ્રતધારી જાણવા. ગ્રીષ્મ તુમાં ક્યા પુરૂષે નદી તરતા નથી, પરંતુ જેઓ વર્ષારૂતુમાં પ્રવાહથી સંપૂર્ણ ભરેલી નદીને તરવા માટે શક્તિમાન હોય તેજ ખરા તારા ગણાય.” રાજન્ ? આ પૃથ્વી સત્યબ્રહ્મચર્યધારક હારાથીજ શેભે છે. પૂર્ણિમાના ચંદ્રવડેજ રાત્રી પ્રકાશવાળી કહેવાય છે. ઈશાન પિતાની સભામાં જેવી હારી પ્રશંસા કરી હતી તે જ હારો અનુભવ મહને થે, કારણકે, સજજનેની વાણી મૃષા હોતી નથી. હવે તું બોલ? મહું તારી કદર્થના કરી છે, તેથી શું હારૂં પ્રિય કરી હું તને પ્રસન્ન કરૂં? સૂર્ય પણ વૃ For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy