SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૪) શ્રી કુમારપાળચરિત્ર. ને લેપ કરનારી રૂપવત્તા દરેક પગલે દુઃખ દાયક છે, મહાખેદ, ની વાત છે કે, સીતાદિક સતીઓ પણ જે દુઃખ પામી, તે પણ આ રૂપને લીધેજ, માટે કલેશના સાગરસમાન આ રૂપને ધિક્કાર છે. પ્રાણતમાં પણ જેઓએ શીલવત મલિન કર્યું નથી, તે સતીઓ જ હાલમાં હારું રક્ષણ કરે. એમ વિચાર કરી ભદ્રિકાએ કંબલવણિકૃનો તિરસ્કાર કર્યો. ત્યારે તે વેપારી પૂર્વભવને વૈરી હેય તેમ તેણીના ઉપર બહુ ગુસ્સે થયો. પછી યમની માફક નિર્દય થઈ તેણે ભફ્રિકાના સમસ્ત શરીરમાંથી રૂધિર કાઢી કંબલે રંગવામાંડી. શરીરને પુષ્ટ કરે અને લોહી ખેંચે એમ કરતાં ધીમે ધીમે તે બહુ કૃશ અને રૂની પુણિકા સમાન નિ:સાર થઈ ગઈ, તે પણ તે પિતાનું શીલ પાલતી અને પિતાના ક્રોધને નિંદતી ત્યાં દિવસે નિર્ગમન કરતી હતી. અહે? કુલીનસ્ત્રીઓની પરીક્ષા દુઃખ સમયે થાય છે. હવે એક દિવસ ઉજજયિની નરેશને બહુ દયાલુ ધનપાલ નામે દૂત ત્યાં આવ્યા. તે ભદ્રિકાને હેટ બંધુ ધનપાળ બંધુ. થતા હતા. તેણે તેને જોઈને ઓળખી કે આ હારી બેન છે, પછી ધનપાળે તે વણિકને તેની ઈચ્છા પ્રમાણે ધન આપી પોતાની બેનને તેની પાસેથી મુક્ત કરી. બાદ પિતાના સ્વામી તરફનું કામ કરી સારવસ્તુની માફક બેનને લઈ તે ઉજજયિનીમાં પિતાને ઘેર આવ્યો. રૂદન કરતાં માતા પિતા વિગેરે બાલ્યાં, પુત્રિ ? શીલરક્ષણથી હારી ઉત્તમ દશા હોવી જોઈએ, છતાં આવી દુર્દશા શાથી થઈ ? કઠેર હદચના માણસોને પણ રૂદન કરાવતી અને પોતે અત્યંત રૂદન કરતી ભફ્રિકાએ તેમની આગળ પિતાના ક્રોધની સ્થિતિ કહી. પછી પિતાની પુત્રીને મહામુશીબતે રેતી છાની રાખી, બાદ પ્રેમના સાગરસમાન બંધુઓએ શાંત કરી બોધ આપે કે, વત્સ For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy