SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછસર્ગ. (૩૫૧ ) હોમી દઈશું. આ પ્રતિજ્ઞાના દિવસે હવે પાંચ જ બાકી રહ્યા છે, માટે હે વરિષ્ઠ? આપ હવે વલભીપુરમાં જલદી પધારે, નહિ તે આપના વિયેગથી દુઃખી થયેલી હારી હેને અને મહારાં માતા પિતા અગ્નિમાં શલભ-પતંગીઆની સુલભગતિને પામશે, પુણ્યસારે આ વૃત્તાંત પિતાના પિતાને તથા રાજાને જણાવી તેમની આજ્ઞા મેળવી લીધી. ત્યારબાદ રતિ અને પ્રીતિ સહિત કામ જેમ બંને સ્ત્રી સહિત ધનસારને પુત્ર પુણ્યસાર પવનવેગી શ્રેષ્ઠ અશ્વો પર આરૂઢ થઈ નગરમાંથી નીકળે, ગ્રામ્ય લેકેના દરેક ગામમાં વિનાદવડે મનને આનંદ આપતે આકાશ માર્ગે ચાલતો હોય તેમ ઘણી ભૂમિ ઉલ્લંઘન કરી ગયે. પરસ્પર સ્ત્રીઓના મધુર આલાપની શ્રેણરૂપ અમૃતવડે તૃપ્ત થયેલ પુણ્યસાર નિરંતર પ્રયાણ કરતો છતો પણ માર્ગજનિત શ્રમને જાણતા નહોતા. એમ અખંડિત પ્રાયણ કરવાથી પુણ્યસાર પાંચમા દિવસે પ્રભાત સમયે વલભીપુરમાં જઈ પહોંચે. તેજ દિવસે વલભીપુરની અંદર કામદેવની સાત પુત્રીઓ દુ:ખથી પીડાએલી પોતાના પિતા પાસે આવી અમિપ્રવેશ. કહેવા લાગી, છ માસ પુરા થયા, પરંતુ ગુણશ્રી આવી નહીં, જરૂર એને પતિ મળે નહીં હાય, તેથી તે મરી ગઈ હશે. આજ સુધી અમેએ પતિની આ શાએ દરિદ્રી ધનની આશાએ જેમ વૃથા અતિ દુસહ વિરહાગ્નિને સહન કર્યો. માટે હે તાત? પ્રસન્ન થઈ હવે જલદી અમને સર્વ દુઃખરૂપ વૃક્ષને બાળવા માટે અગ્નિ આપ, એ પ્રમાણે પુત્રીઓનું વચન સાંભળી કામદેવ શ્રેષ્ઠી વિજળી સમાન તે વાણીવડે હદયમાં હણા અને દુઃખસાગરની લહરી સમાન વાણીને પ્રચાર કરવા લાગે, પુત્રીઓ? આટલી ઉતાવળ શા માટે કરે છે? આપણે સર્વે એક સાથે—સંગાથ કરીશું, મારા મનમાં પણ આજ વિચાર For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy