SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩૪૨) શ્રીકુમારપાળચરિત્ર. ઉચિત નથી. કારણ કે; તેમ કરવાથી જીવની દુર્ગતિ થાય છે. વળી આ દુર્લભ મનુષ્યભવ પામીને તમે વિશુદ્ધ ધર્મની આરાધના કરી. જેથી આ લાકમાં સર્વ ઈષ્ટ પદાર્થ પ્રાપ્ત થાય અને પરલેાકમાં સદ્ગતિ થાય. દરેક ભવમાં પતિ મળે છે પરંતુ ધર્મ અત્યંત દુલ ભ હાય છે, કારણ કે, દરેક પર્વતામાં પાષાણના ઢગલા ડાય છે પણ પદ્મરાગમણિતા ક્વચિતજ હાય છે, એમ સમજી તુ મૃત્યુની બુદ્ધિ છેડી દે અને ધર્મ કાય માં મનને સ્થાપન કર, સ્વજનનુ કહેવુ માન્ય કર, અને પાતાના જીવિતનું રક્ષણ કર. તે સાંભળી ગુણુશ્રીની ભ્રકુટી ખસી ગઈ અને પેાતાના પરિવારને કહેવા લાગી, શું મ્હારા મનને તમે નથી જાણતાં ? જેથી તમે એવી રીતે મેલે છે? આજ સુધીજે મન્યા નહીં તે હવે ક્યાંથી મળે ? આખા જન્મમાં જે કાર્ય સિદ્ધ ન થયું તે મરણુ કાલમાં ક્યાંથી સિદ્ધ થાય? સ્વામીની અપ્રાપ્તિ થવા છતાં પેાતાની પ્રતિ જ્ઞાના ભંગ કરી હું કેવી રીતે જીવુ ? એક દુ:ખ પતિના અભાવ અને ખીજું દુ:ખ વાણીની અસત્યતા, મારા સ્વામીથી પણ સત્ય વચન મને ઘણુ જ વ્હાલુ છે. હવે જો પ્રતિજ્ઞાના ભંગ થાય તે સત્ય કેવી રીતે સચવાય ! तथाच - आपत् समापततु संपदपैतु दूरं, Acharya Shri Kailassagarsuri Gyanmandir ज्ञातिः परित्यजतु सर्पतु चापकीर्तिः । आत्मा प्रयातु सकलं कुलमन्तमेतु, न स्वीकृतं कृतधियस्तदपि त्यजन्ति ॥ १ ॥ “ આપત્તિ આવે, સંપત્તિ દૂર ચાલી જાય, જ્ઞાતિ સથા ત્યજી દે, અપકીતિ સર્વત્ર ફેલાય, આત્મા ચાલ્યેા જાય અને સમગ્ર કુલના નાશ થાય, તેા પણ બુદ્ધિમાન પુરૂષ પેાતાની પ્રતિ જ્ઞાના ભંગ કરતા નથી.” એટલા માટે હાલમાં હું દુ:ખથી મુકત For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy