SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ટસ. ( ૩૩૭ ) વિષમ કા માં નાખી દ્વીધી છે, એક તરફ તત્ત્વના અજાણ આ ભૂપતિ પેાતાની પુત્રી મ્હને આપવા તૈયાર થયા છે, અને બીજી આજુએ હું નારી છતાં કપટથી પુરૂષ વેષ ધારણ કરી આવેલી છું, હવે મ્હારે શું કરવું ? કદાચિત્ હું મ્હારૂં પોતાનુ સ્વરૂપ પ્રગટ કરૂં તે સમગ્ર નગરમાં મ્હારી વિડંબના થાય તેમજ પતિની પ્રાપ્તિ પણ થાય નહી. આ પ્રમાણે ગુણુશ્રીનું વચન સાંભળી વૃદ્ધોએ તેને બહુ સુદર ઉત્તર આપ્યા કે; આ ખાખતમાં અમને કઈ સમજણ પડતી નથી. અમે ઉંમરથી મ્હાટા છીએ પરંતુ શુદ્ધ બુદ્ધિવડે વૃદ્ધ નથી. અમેએ ઘણા વિચાર કર્યા પરંતુ આ ખાખત અમારા લક્ષમાં આવતી નથી. સ કાર્યોમાં ત્હારી બુદ્ધિ મુખ્યતા @ાગવે છે, માટે હે વત્સે ? ખરાખર વિચાર કરી તુ પાતેજ યથેાચિત કાર્ય કર. એમ વૃદ્ધોના જવાબ સાંભળી ગુણશ્રીએ વિચાર કર્યાં, આ રાજાને ૐ ઘણી ના પાડી છે તે પણ તે કન્યા પરણાવવાના અતિ આગ્રહને જરૂર છેડશે નહીં, તેમજ જ્યાંસુધી પેાતાના સ્વામીની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મ્હારે મ્હારૂં સ્ત્રીપણું જાહેર કરવું તે ઉચિત નથી, માટે હાલમાં પુરૂષ વેષે રાજકન્યા મ્હારે પરણવી તે ઉચિત છે, જો છ માસની અંદર મ્હારા પ્રિયપતિ મ્હને મળશે તે આ રાજકન્યા પણ તેની જ સ્ત્રી થશે. અને કદાચિત્ તે નહિ મળે તે મ્હારા મરણ પછી તેણીને જેમ કરવું હશે તેમ કરશે. એમ વિચાર કરી પુણ્યસારની સ્ત્રી—ગુણુશ્રી પ્રભાતસમયે રાજસભામાં ગઇ અને રાજાના મહુ આગ્રહથી મદનવતીના પાણિગ્રહણના સ્વીકાર કર્યા. તે વાત સાંભળી મદનવતી બહુજ ખુશી થઈ. પ્રાયે સ્ત્રીઓને પેાતાના સ્વામીની પ્રાપ્તિ અમૃતથી પણ અધિક પ્રિય હાય છે. સમરસિ’હભૂપતિ પ્રમુદ્રિત થયા અને મ્હોટા ઉત્સવાવડે ગુણુશ્રી સાથે પેાતાની કન્યાને પરણાવી દીધી. મદનવતીવિવાહ. ગુણુશ્રીના હસ્તમેળાપથી મદનવતીના હૃદયમાં ૨૨ For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy