SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમસર્ગ. (૨૯૩) પરંતુ હજી પણ અમારી કંઇક ભાગ્યરેખા દેખાય છે, જેથી દીન અનાથના જીવનદાતા આપ અહીં આવ્યા છે. હવે તમે કઈ ઉપાય શોધી કાઢો જેથી સિંહના પંજામાંથી મૃગલી જેમ, આ અધમ રાક્ષસથી અમને જલદી છેડા. સંતપુરૂષે પોપકારના ઉત્સાહથી પોતાનું કષ્ટ ગણતા નથી. અંગ ઘર્ષણવડે ચંદનો જગતું જનના તાપને શું નથી હરતા ? એ પ્રમાણે બન્ને સ્ત્રીઓએ સેંકડો પ્રિય વચને વડે આભારિત કરેલ અને દાક્ષિણ્યને એક મહાસાગર સુમિત્ર વિચાર કરવા લાગ્યા. એક તરફ કૂરને શિરે મણિ તે રાક્ષસ પ્રાણેનું હરણ કરે છે અને અન્ય બાજુએ રક્ષણ કરવા લાયક આ સ્ત્રીઓ શરણે આવેલી છે. તે એમના માટે સઘનશ્વર પ્રાણેને હારે છેડી દેવા તે સારૂ છે, પણ પ્રાર્થનાનો ભંગ કરી રંકની માફક હું ચાલ્યા જાઉં તે સારૂ નથી. દઢ હૈયેનું અવલંબન કરી એમને પોતાના નગરમાં હું લઈ જાઉં, અમારા ત્રણેના પુણ્યથી કોઈપણ રક્ષણ કર્તા મળી આવશે. જે રાક્ષસથી હું મુક્ત થઈશ તે આ બંને મહારી સ્ત્રીઓ થશે, અથવા તેનાથી એ મહારૂં મરણ થશે તો પરોપકાર માટે આ પ્રાણે ધન્યવાદને લાયક થશે. બાદ સુમિત્રે કન્યાઓને પૂછયું, તે રાક્ષસ કયારે આવશે? આવવાની તૈયારી છે એમ તેમનું વચન સાંભળી સુમિત્ર બોલે, એમ હોય તે જલદી એને બેલા, કન્યાઓ બેલી, ગંધવડે જાણશે કે, તરત અહીં તે તમને મારી નાખશે, માટે અહીં નીચે ભંડાર છે તેની અંદર રહીને આજની રાત્રી તમે નિગમન કરે. એ પ્રમાણે તેમની બુદ્ધિનો સ્વીકાર કરી સ્ત્રીઓને ઉષ્ટ્રી બનાવી સુમિત્ર કેશગૃહમાં ગયો અને નિશ્રેષ્ટની માફક પડી રહ્યો. પ્રભાત કાલ થયો એટલે સુમિત્ર ત્યાંથી બહાર નીકળે. બંને ઉષ્ટ્રીઓને સ્ત્રીઓ કરી રાત્રીનું રાક્ષસ વૃત્તાંત પૂછવા લાગ્યા. સ્ત્રીઓ બોલી, રાત્રીએ રાક્ષસ આવ્યો હતે, મનુષ્યને ગંધ આવવાથી “કેઈપણ For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy