SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમસર્ગ. (ર૭૧) જેનું એવા વારાંગના જેમ દીવ્ય રસોઈ દેવાંગનાઓએ તેમની આગળ લાવી મૂકી. કેઈ દિવસ નહી આસ્વાદેલી અને રસાસ્ય તે રઈને પોતાની ઈચ્છા પ્રમાણે જમતા તે બંનેની જીભ પણ રસજ્ઞાનમાં વિમૂઢ બની ગઈ. અહે? માધુર્યની કેટલી બલિછતા ? સુમિત્ર હાસ્ય પૂર્વક વીરાંગદને કહેવા લાગ્યું, હે સ્વામિન ? ત્રણ દિવસથી આપ ભૂખ્યા છે, માટે રૂચિ પ્રમાણે સારી પેઠે જમે. પછી બંને જણે મુખ પ્રક્ષાલન કરી પાનસોપારી વિગેરે મુખવાસ લીધો. સુમિત્રના સ્મરણ કરવાથી જ દેવતાએ સર્વ વસ્તુ અદશ્ય કરી નાખી. મેઘજાળની માફક સર્વ દશ્ય વસ્તુ અદશ્ય થવાથી રાજકુમારે તેનું કારણ સુમિત્રને પૂછ્યું તેણે જવાબમાં કહ્યું કે, હાલમાં કેઈક સ્થલે વિશ્રાંતિ પછી સર્વ હકીકત હું આપને જણાવીશ. તે સાંભળી રાજકુમાર એક આમ્રવૃક્ષને નીચે સુઈ ગયું અને નિદ્રાધીન થઈ ગયા. બુદ્ધિનિધાન સુમિત્ર પણ એની પાસમાં બેઠો અને એને રાજ્ય કેવી રીતે મળશે એમ પોતાના મનમાં વિચાર કરતો હતો. હવે તે મહાશાલ નગરમાં ધનંજય નામે રાજા હતો, તે ગયા દિવસે ગાઢ અંદગીમાં આવી પડ્યો અને રાજ્યપ્રાપ્તિ. દેવગે મરણ પામે. તેને કોઈ પણ પુત્ર નહતો, તેથી મંત્રીઓએ વિચાર કરી રાજ્યભક્તિ માટે સાયંકાળે પંચદીવ્ય તૈયાર કર્યો. પ્રભાત કાળમાં વાજીંત્રો વાગવા લાગ્યાં. રાજકીય પુરૂષોની સાથે પિતે પાંચે દીવ્ય રાજ્યાધિષ્ઠાયીના વૈભવથી ચાલવા લાગ્યાં. સર્વ નગરની અંદર ફરતાં હતા ત્યારે દેદીપ્યમાન સ્વરૂપધારી સેંકડો નાગરિક લેકે રાજ્ય લેવા માટે એક બીજાની આગળ ઉભા રહેતા હતા, અહે? લાભની વિચિત્રતા? જેમકે; For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy