SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૪૪) શ્રી કુમારપાળચરિત્ર. પોતાની પાછળ પિશાચિની સમાન મહાભયંકર છ સ્ત્રીઓ ઉભી હતી. જેમનાં મુખ અને શરીર બહુ શ્યામ હતાં, તેમજ વ પણ શ્યામ હતાં, તે જોઈ દેવધિ વિચારમાં પડયો કે, મૂર્તિ માન આ હારી પ્રાચીન પાપ સંપત્તિએ છે? અથવા દુષ્યનની પંક્તિઓ સમાન આ રાક્ષસીઓ હુને ખાવા માટે આવી હશે? એમ તેવિતર્ક કરતો હતો તેટલામાં ફરીથી આકાશવાણી થઈ, હે દેવાધિ? પૂર્વભવના પાપવિપાકથી ઉત્પન્ન થયેલી આ છ જીવહત્યાઓ હે કરેલી છે, હવે તે રાત્રીરૂપ જીવહત્યાઓ રહે છતે હારા હૃદયમાં સર્વથા સરસ્વતીના મંત્રપ્રસાદરૂપ સૂર્યનો પ્રકાશ કેવી રીતે થાય ? એકેક લાખ જાપ કરવાથી તે યે જીવહત્યાઓ હારા આત્માથી છુટી થઈ હારી પાછળ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ઉભી રહી છે, બહુ ક્રોધથી હું આ અક્ષમાલા ( જપમાળા) જ્યારે આકાશમાં ફેંકી દીધી ત્યારે પોતાના પ્રભાવવડે હે હારા વિશ્વાસ માટે તેને આકાશમાં સ્થિર કરી. હવે આ મંત્ર ત્યારે થોડે જપવાનો બાકી રહ્યો છે, તેટલે જાપ કર એટલે સરસ્વતીદેવી લ્હને પ્રસન્ન થશે. એમ કહી સરસ્વતીદેવી મૌન રહી. પિતાના ઈષ્ટ કાર્યમાં સંદેહ રહિત અને બુદ્ધિશાલી દેવબોધિએ ફરીથી કરકમલમાં અક્ષમાલા લીધી અને જાપને પ્રારંભ કર્યો. પૂર્ણિમાના ચંદ્ર સમાન શરીરની કાંતિવડે શબ્દજ્ઞાનમય તેજને પ્રત્યક્ષ પ્રગટ કરતી હોયને શું? તેમજ પ્રસન્નસરસ્વતી દેવી. નેત્રોવડે પ્રેમામૃતને વરસાવતી હોય છે ? તેમ સરસ્વતીદેવી દેવબોધિની આગળ પ્રગટ થઈ. કલા, વિદ્યા અને સાહસિકલેકોના ઉપકારમાં પણ અપાર એવા જલને સમુદ્ર જેમ તું આધાર છે, માટે હે શ્રુતદેવી? હારી આગળ આ હારી સ્તુતિ શા હિસાબમાં છે? કારણકે, ત્રણેલેકમાં For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy