SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૧૪). શ્રી કુમારપાળચરિત્ર. અર્જુનની માફક તૈયાર થઈ નીકળેલા શ્રીગુજરેશ્વરવડે સમરાંગણ દીપવા લાગ્યા. અર્ણોરાજ પણ પિતાના પ્રબળ ભુજબલન. પ્રભાવથી હાથી પર આરૂઢ થયે. જેની પાછળ ઘણા સૈનિકે નીકળી પડ્યા. રાજા પિતાના મનમાં જાણતો હતો કે, શત્રુ સામતેના ભેદથી હારી જીત થશે. તેથી તે દુર્યોધનની માફક ઉદ્ધત બની રણભૂમિમાં નીકળે. પ્રથમ રમંડળ, પછી વાજીત્રના શબ્દ, ત્યારબાદ સૈનિકે એમ બંને સૈન્ય પરસ્પર એકઠાં થયાં. પરસ્પર યુદ્ધ કરવા માટે ઉદ્ધત થયેલા સુભટોને બોલાવતાં હોય ને શું? તેમ તે બંને સૈન્યમાં હજારે વાજીંત્રો વાગવા લાગ્યાં. વળી તે વાઈના નાદ સાંભળવાથી રોમાંચ સાથે ધાઓ યુદ્ધમાં નીકળ્યા, એટલું જ નહી પરંતુ તેમના કેશ પણ ઉભા થયા. તે સમયે બંદીજને સુભટોનાં પરાક્રમ વર્ણવવા લાગ્યા, તે સાંભળી કાયર સુભટોના હૃદયમાં યુદ્ધને મહિમા દઢ થયે. બુભુક્ષિત લેકે ભેજનને જેમ પોતાને વર માનતા સુભટો હદયને ઈષ્ટ એવી રણભૂમી પામીને બહુ ખુશી થયા. મેઘમંડલસમાન શ્યામ ધુળને સમૂહ વ્યાપ્ત થયે છતે પગે ચાલતા સુભટોના દીપતા ખાની કાંતિએ વીજળી સમાન દીપતી હતી. ત્યારબાદ બને સૈન્યના મુખ્ય સૈનિકે પરસ્પર મળ્યા, પિતાનાં પરાક્રમ ફેલાવવા લાગ્યા અને યુદ્ધ માટે ધોડવા લાગ્યા. ધનુ અને શત્રુઓની જીવ (દેરી=પ્રાણુ)ને ખેંચવામાં કુશળ એવા ધનધારી સુભટ બા ની વૃષ્ટિવડે પોતાના ધનુર્વેદને પ્રગટ કરવા લાગ્યા. ભૂપતિએ દૂર ફેંકેલો બાણનો સમૂહ શત્રુપક્ષમાં સાર્થક થયે. તો પણ લજજા વડે જેમ નીચે મુખે રહ્યો. દેદીપ્યમાન બાણરૂપી કિરણો શત્રુરૂપ અંધકારને હરવા માટે ધનુરૂપ સૂર્યમંડલમાંથી બહુ વેગપૂર્વક નીકળવા લાગ્યા. લોઢાના બક્ત પર અથડાતા ખોના આઘાતથી પર્વતના પ્રાંત ભાગમાં હસ્તીઓના દાંતની માફકવારંવાર For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy