SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૨ ) શ્રીકુમારપાળચરિત્ર. તેમજ ધનુષ્પ ધારણ કરવામાં પ્રચંડ ભુજબળવાળા, ઇંદ્રના પ્રતાપને ખંડિત કરનાર અને રણસંગ્રામમાં ખર્ચ ઉતારનાર એવા ધનુષધારી સુભટેએ બાણેનું નાટક રચ્યું, જેથી તે બાણે ગુજેના હૃદયને ભેદી તેમના પ્રાણ સાથે ઈર્ષોથી જેમ અદશ્ય થઈ ગયા. વળી વિપક્ષ સુભટેએ કેટલાકને ચર્ણની માફક પિષી નાખ્યા. કેટલાકને મુષ્ટિના આઘાતવડે સ્થિર કર્યા, કેટલાકને હદયભેદી બાવડે મર્મસ્થામાં જખમી કર્યા, કેટલાકને યુદ્ધમાંથી નાસતા જીવતા પકડી લીધા. કેટલાકને પોતાના ભુજબળની ચપળતાવડે ચકબંધથી બાંધી લીધા. અસહ્ય શત્રુઓના બાણરૂપી પ્રચંડ પવનથી હણાયેલા ચૌલુક્યના સુભટે રણભૂમિમાંથી પક્ષીઓની માફક પલાયન થઈ ગયા. પર્વતમાંથી જેમ તે રણસંગ્રામમાંથી પ્રગટ થયેલી નદીઓ નથી હણાયેલાં મસ્તકેની શ્રેણીઓમાંથી ઝરતા રૂધિરવડે પૂરાઈ ગઈ અને તેઓ બંને કાંઠાઓમાં જેસથી વહેવા લાગી. પ્રથમ પ્રસન્ન થયેલી લક્ષમીદેવીએ આપેલા વરદાનથી અધિક પરાક્રમી શ્રી કુમારપાળરાજા પોતાના સૈન્યનો ગુરેદ્રવિજય. ક્ષય જાણુ એરાવણ હસ્તીની માફક યુદ્ધકરવા તૈયાર થયે. વષત્ર તુના મેઘની માફક કુમારપાળે ધારાબંધ બાણવૃષ્ટિ કરી. જેથી શત્રુઓના સુભટરૂપી સૂર્ય મંડળ ઢંકાઈ ગયું. વળી તે ગુર્જરેશ્વરના બાણેને છેદી નાખે તે કઈ પણ બાણાવળી, કેઈ બકતરધારી, કઈ ધનુધારી, કઈ ખન્કંધારી, કઈ પદાતિ અને કઈ સ્વાર પણ નીકળે નહીં. તેમજ કેટલાકને કેશ પકડીને, કેટલાકને છાતી દબાવીને, કેટલાકને મસ્તક છેદીને મૂચ્છિત કર્યા, એટલું જ નહીં પણ તે સમયે કુમારપાળરાજા મૃત્યુની માફક કયા શત્રુઓને મરણુદાયક ન થયે? પિતે એકાકી છતાં પણ કુમારપાળરાજાએદેને For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy