SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વતીયસર્ગ. (૧૮૧), એટલું જ નહી પણ ત્રણે લેકમાં અવગાહન કરવામાં રસિક એવી તેની પ્રભા પણ કુરી શકતી નથી, તે ચક્ષુથી અગ્રાહ્ય અને વાણુ તથા મનને અગોચર એવું મહ–જ્ઞાન સર્વ બાજુના ત્યારા તમ–અજ્ઞાનને શાંત કરે.” એમ આશીર્વાદ આપ્યા બાદ ગુરૂના અસમરણ રૂપ પ્રમાદવડે અપરાધિની માફક રાજાને બહુ લજજા આવી છતાં હાથજોડી તે બલ્ય, ભગવદ્ ? કૃતઘતાને લીધે ખલની માફક હાલમાં આપને મુખ બતાવવા માટે હું ગ્ય નથી. ખંભાત નગરમાં શત્રુઓના મારમાંથી આપે હારૂં રક્ષણ કર્યું હતું, તેમજ અમુક દિવસે હુને રાજ્ય મળશે એવી પત્રિકા લખી આપીને હુને શાંત કર્યો હતો, એમ છતાં આ રાજ્ય વૈભવ મળવાથી આપને પ્રત્યુપકાર કરવો તે દર રહ્યો, પરંતુ આપને મહે સંભાર્યાં પણ નહીં, અહ? હારું કૃતજ્ઞપણું ક્યાં રહ્યું? પ્રથમ પણ આપે કરેલા ઉપકારે વડે હું દેવાદાર હતો, વળી હાલમાં પ્રાણ રક્ષણ કરવાથી ણીની માફક અધિક કાણું થયે, અકૃત્રિમ ઉપકારીઓમાં ખરેખર તહેજ મુખ્ય છે, કારણકે હું આવા કૃતઘ્ર છું છતાં હારી ઉપર આપને પ્રેમ આ પ્રમાણે અનહદ ફુરે છે. આ દુનીયામાં “કૃતજ્ઞપુરૂષથી બીજો કોઈ ઉત્તમ નથી અને કૃતઘથી બીજે કઈ નીચ નથી.” કારણકે કૃતજ્ઞપુરૂષની લકે સ્તુતિ કરે છે અને કૃતધ્વની હમેશાં નિંદા કરે છે. અહ? આપણે બંને જણ ઉત્તમ કોર્ટને પામ્યા-ઉપકારી જનોમાં આપ અને કૃતધ્ર પુરૂષોમાં હું. માટે છે કૃપાનિધાન ? હારા સમગ્ર અપરાધની ક્ષમા કરી આ રાજ્યલક્ષ્મીનો સ્વીકાર કરીને હાલમાં હારી ઉપર મહેરબાની કરે. શ્રીકુમારપાલનરેંદ્રના મુખમાંથી નીકળેલ ભક્તિમય વચનો વડે શ્રીહેમચંદ્રસૂરિ બહુ પ્રસન્ન થયા, જેથી - શ્રીહેમચંદ્રસૂરિ. અમૃતરસનું સિંચન કરતા હોય તેમ નરેંદ્રપ્રત્યે બોલ્યા, હે મહીપતે? આ પ્રમાણે પિતાને For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy