SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧ર) શ્રી કુમારપાળચરિત્ર. અને શત્રુઓના ઉપદ્રવથી કોનું રાજ્ય રોકાતું નથી? પ્રાણીએને ઉદય કેવળ પતન માટે થાય છે. જીવન મૃત્યુ માટે અને વિરેાધ દુઃખને માટે થાય છે. સંસારની આ સ્થિતિ અનાદિકાળની ચાલી આવે છે. જ્યાં સુધી પુરૂષનું ભાગ્યઅક્ષત હોય ત્યાંસુધી જ ઉદય હોય છે. શુકલપક્ષનો ક્ષય થવાથી ચંદ્રની વૃદ્ધિ કયાંથી થાય? એમ સમજી શેકરૂપી શલ્યને દૂર કર અને હૃદયમાં ઘેય રાખ, દુ:ખ સમયે જે ધૈર્ય રાખે છે તે પુરૂષ ધીર ગણાય એમ મહારૂં માનવું છે. વળી અગાધ એવા વ્યસનરૂપી સાગરમાં પડેલા મહા પુરૂષને સમુદ્ર ઉતરવામાં પૈર્યજ એક નાવ સમાન થાય છે. એ પ્રમાણે સચનેથી સંબંધે વિમલવાહન બે , હવે હાલમાં મહારે શું કરવું? અજાપુત્ર બેલા, તું શત્રુઓથી બહીશ નહીં, સિંહની આગળ મૃગલાઓ જેમ એ રંક પુરૂષ હારી આગળ શા હીસાબમાં છે? પરંતુ જ્યાં સુધી હું જાઉં ત્યાં સુધી એક લેખ લખીને આ શુકની સાથે ત્યાં મેકલા, જેથી મંત્રીના હૃદયમાં શાંતિ થાય. એમ કહી શુકને બોલાવીને અજપુત્રે મૃદુ વચનથી કહ્યું, તું ? વિમલવાહન આ પોતે જ મહાસેનનો પુત્ર છે, જે તું એની માતાના સ્નેહથી અનૃણપણું ઈચ્છતો હોય તો એના ઉપકાર માટે મંત્રીને આ લેખ આપી આવ, એ પ્રમાણે અજાપુત્રની પ્રાર્થના કબુલ કરી શકે તેણે આપેલ લેખ લઈ દેવની માફક ત્યાં જઈને બુદ્ધિબલમંત્રીને તે લેખ આપે. “જેનો તેને પણ કરેલું ઉપકાર ફલદાયક થાય છે.” જુઓ ? તે શુકે કેવા સમયમાં કેવી રીતે પત્ર પહોંચાડયે ? માત્ર જેવાથી હૃદયને આનંદ આપનાર તે લેખને મિત્ર સમાન અંગીકાર કર્યો, પછી મંત્રીએ બહુ પ્રેમથી વાંચવા માંડે, તદ્યથા–“ સ્વસ્તિ શ્રીમમહાસેનરાજાને પુત્ર વિમલવાહન બાહુના આલિંગન સાથે મંત્રીને નિવેદન કરે છે કે, અહિંયાં For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy