SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) શ્રી કુમારપાળચરિત્ર. મોહિત થયેલા ઈ દીવ્ય વસ્ત્રાદિક આપી તેને બહુ સત્કાર કર્યો, અહો ? રૂપ, અહે? કાંતિ, અહે? સંપત્તિ, અહવૈભવ, અહાર ઇંદ્રાણી વિગેરે દેવીઓ અને આ સર્વ સમૃદ્ધિ લેકેત્તર દેખાય છે. એ પ્રમાણે અપાર ઇંદ્રની શેભાવડે હરાયું છે મન જેનું એ અજાપુત્ર તેને પૂછવા લાગે. હે દેવેંદ્ર? આ અદ્દભુત લક્ષ્મી આપને શાથી પ્રાપ્ત થઈ હશે ? તે સાંભળી ઈ બેલ્યો स्वर्गे स्थानं विमाने वसतिरनुपमे ज्योतिरुद्योति देहं, पारेवाग्वति वीर्ये नवनवविलसद्रूपनिर्माणसिद्धिः । लक्ष्मीस्त्रैलोक्यकाम्या गतिरनुपहता गीतनृत्यादि रम्यं, शच्याद्या भोगपात्रं ममसुकृतवशाज्जातमैश्वर्यमेतद ॥ १ ॥ સ્વર્ગમાં સ્થાન, અતિ ઉત્તમ વિમાનમાં નિવાસ, તેજના પ્રભાવથી ઉદ્યોતિત શરીર, વાણીથી ન વર્ણવી શકાય તેવું પરાક્રમ, અનેક પ્રકારનાં નવીન અને વિકસ્વર સ્વરૂપ નિર્માણની સિદ્ધિ, ત્રણે લોકને ઈચ્છવા લાયક લક્ષમી, અકુંઠિત ગતિ, મનોહર ગીત અને નૃત્યાદિક તેમજ ઇંદ્રાણી વિગેરે ભેગ પાત્ર, એ સર્વ ઐશ્વર્ય મહારા પુણ્યને લીધે મને પ્રાપ્ત થયું છે.” અથવા ઈંદ્રાદિકની પદવી એ ખરેખર ધર્મરૂપી વૃક્ષનું પુષ્પ છે. અને ચિદાનંદમય મોક્ષ ધામ એ તેનું ફલ છે. તે ધર્મને મહિમા અપાર અને અદ્ભુત અમે માનીએ છીએ. જે ધર્મ માત્ર આશ્રય કરવાથી માનવ, દેવ અને મોક્ષની સંપત્તિને આપે છે. એ પ્રમાણે ઈદ્રના ઉપદેશથી અને તેની સંપત્તિના અવલ કનથી અજાપુત્રની શ્રદ્ધા ધર્મમાં બહુ દઢ થઈ, શરદઋતુ. પછી અજાપુત્રને પોતાના સ્થાનમાં પહેચાડવા માટે એક દેવને આજ્ઞા આપીને ઈંદ્ર પોતે સ્વર્ગ સ્થાનમાં ગયે. ઉત્તમ ભાવનાવડે અજાપુ પણ તીર્થને નમસ્કાર For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy