SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪ ) શ્રી કુમારપાળચરિત્ર દર્દાદિકથી ઘેરાયેલે, સ્વચ્છ જળથી ભરેલે પણ નીલકમલમાં બેઠેલા ભમરાઓની કાંતિને લીધે અથવા અંદર પ્રતિબિંબિત થયેલા આકાશના સંક્રમણથી જેમ શ્યામ કાંતિને ધારણ કરતે, પોતાના ખોળામાં રમતા પુત્રની માફક કમલવડે સુશોભિત, જીવન-જીવિકા અથવા પાણિ મળવાથી સંતુષ્ટ થયેલા સુભટોની માફક પક્ષીઓ વડે વીંટાએલા તે હદને જોઈ અજાપુત્ર પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. અહ? આ હદ જડ=જળમય છે તે પણ તેને કેટલે મહિમાસ્યુરી રહ્યો છે? પછી રાજા બે મિત્ર? આ પાણું તું જે એના મહિમાને પાર નથી, કારણ કે પ્રથમ એણે હુને વાઘ બનાવ્યું તેથી ત્યારે સમાગમ મહને થયે. જે. અજ્ઞાનથી હે આ પાણી ન પીધું હોત તો હાર સરખે દુર્લભ મિત્ર હને કયાં મળત? પછી અજાપુત્ર છે. આ પાણું અને બીજા પાણીનું સ્વરૂપ તે એક સરખું દેખાય છે. કંઈપણ ભેદ દેખાતું નથી. છતાં આવી શક્તિ એનામાં શાથી આવી હશે? અથવા “દરેક વસ્તુની નિમણુતા વિચિત્ર હોય છે.” એ પ્રમાણે બંને જણ વાત કરતા હતા તેટલામાં તે હદમાંથી જેમ સમુદ્રમાંથી એરાવત હસ્તી નીકળે તેમ મહાન એક હાથી નીકળે. બાંધવાના દેરડાની માફક સુંઢના આઘાતવડે મહેટા જળતરંગોને વિદારણ કરતા અને પગે બાંધેલી સાંકળની માફક શેવાલવલ્લરીનું આકર્ષણ કરતા તે હાથી માયાવી હસ્તીની માફક હદમાંથી બહાર નીકળી અજાપુત્રને એકદમ જળમાં ખેંચી ગયે. હે હસ્તિન? ચેરની માફક હારા મિત્રને હરણ કરી તું કયાં જાય છે? એમ કહી તરવાર ખેંચીને રાજા તે હાથીની પાછળ ધડો. પાણીની * અંદર હાથી બહુ વેગથી આગળ ચાલ્યા જાય છે અને રાજા જલદી માવતની માફક તેની પાછળ જાય છે. એમ કરતાં કરતાં તેઓ For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy