SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમસર્ગ. (૫૩) અરે? હારા દુર્ભાગ્યને ધિક્કાર છે, આ પરે પકારની લાગણું પણ હારાથી ન બની શકી. જેઓ પરોપકાર કરવામાં પૃહાલુ હોય છે તેવા પ્રાણુઓને ધન્યવાદ ઘટે છે, તેમજ જેઓની પરોપકાર ની ઈચ્છા સિદ્ધ થાય છે તેવા સત્પરૂષે તે વારંવાર ધન્યવાદને લાયક થાય છે. એમ કહી રાજા એકદમ પિતાનું મસ્તક કાપવા માટે ચો ગીની યાચના કરે છે તેટલામાં તે યોગી પણ મૂયોગીની મૂચ્છ. છિત થઈને છેદેલા દુમની માફક પૃથ્વી પર પડે. તે જોઈ રાજાને વિસ્મય થયે. અહ? એકદમ આ ગીને શું થયું ? એમ ચિંતવન કરતાં રાજાને પણ દુઃખથી મૂચ્છો આવી ગઈ અને બેભાનમાં પડેલા રાજાએ આકાશમાં રહેલા દેવતાઓને હાહાકાર સાંભળ્યો. ક્ષણવાર પછી રાજા સચેતન થયે અને પોતાની આગળ ઉભેલી એક દેવી તેણે જોઈ, તે દેવી મેઘમાળાની માફક કમંડલુના જળથી સિંચન કરતી, પ્રદીપની માફક પોતાની કાંતિવડે અંધકારને દૂર કરતી, દીવ્ય આભરણેની રચના વડે કલ્પલતાની માફક દીપતી, જમરીઓવડે પવિની જેમ દેવાંગનાઓ વડે સેવાતી, મનોહર દર્શનથી ચંદ્રલેખા ની માફક આનંદ આપતી, બહસ્નિગ્ધ દ્રષ્ટિવડે માતાની માફક વારંવાર અવલોકન કરતી અને જેના શરીરની કાંતિ સુવર્ણ સમાન ચળકતી હતી એવી તે દેવી બોલી, વત્સ ! તે અપરાજીતા દેવી હું પોતે છું. હારા સાહસવડે હું પ્રસન્ન થઈ છું. હારી ઈચ્છા પ્રમાણે વર માગ. પ્રણામ કરી અભયંકર બોલ્યા, દેવિ ? જે તું મહારી પર તુષ્ટ થઈ હોય તે કાર્ય કરવામાં ઉઘુક્ત થયે. લા આ હારા ભુજને સ્તંભનથી મુક્ત કર. જેથી મહારા મસ્તકના દાનવડે આ હારા ભક્ત યોગિની વિદ્યાસિદ્ધિને સિદ્ધ કરૂં. હારે રાજ્યાદિક સમૃદ્ધિનું કંઈ પ્રજન નથી. વળી જો તું આ For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy