________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૭ )
ચારે તરફ કન્દ ભરી, સન્મતિ એ આવી મળે; ત્યારે વિકળ થઇ એમનું, મુજ હેતુએ ચિત્તડું ચળે; એવે સમે હું જોર કરી, મનવૃત્તિને સમજાવુ છું. તે તે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉં છું. શય્યા રૂડી નિજ ઘેરને, પરઘેર નાકર પાથરે; ઉંચા પલંગ મજા તણા, જોતાં ત્વરિત મનને હરે; એવુ’ છતાં પૃથ્વી ઉપર, હું સ્નેહથી સુઈ જાઉં છું; ત્યારે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉ છુ. સ્વાદુ મનહર ભાજના; શિષ્યા કરાવે સ્નેહથી; ઉમદા અથાણાં વ્યંજના, હાજર કરે છે જન અતિ, તે પણ બધાં સ્વાદું તજી, સાદાંજ ભાજન ખાઉ છું; ત્યારે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉં છું. મુજ વૃત્તિથી તેા નહિજ પણ, પર આગ્રહે નાટક જતેા; ત્યારે સુહાસ્ય પ્રસંગમાં, ઉદાસ અતિશય હું થતા; “ આવી રૂડી વાડી છતાં, ” એ, કર કાળ વિભેદતા; એવું મને દિલ તત્ર મુજને. મિત્ર ઘેલા માનતા. ઉંચાં સુવો ડેરીને, કે બન્ધુએ મકલાય છે; અત્તર અને ફુલ ચંદના, ને પ્રાપ્ત કરવા ચ્હાય છે; મુજને મળે છે તેાય પણુ, સાદાઇમાં હરખાઉં છુ. ત્યારે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉં છું. આ અહિર સાધન શુષ્ક મ્હે', જાણી લીધાં નિશ્ચય કરી; પણ હૃદય દેશ વિષે રહ્યા, પરમેશ નિપુ`` પ્રીત ધરી; જ્યારે મનેાહર પ્રેમજળ, નેત્રા થકી વરસાવું છું; ત્યારે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉં છું.
For Private And Personal Use Only
s