________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩)
૬
નિર્મળ અચળ મન રૂપ જ્યાં, ભાથો ભર્યા બાણને
સદ્દગુરૂ ચરણની સેવ એ, બખતર રખાવે પ્રાણને; વિધિ યુક્ત પ્રાણાયામ રૂપ, રખવાળ જ્યાં ચેકી કરે;
તે દેહરથ આ સૃષ્ટિમાં, વિજયી થઈને સંચરે. આવી રીતે જે લેકના, સદ્ધર્મમય રથ શભશે,
હે મિત્ર? તે જન શત્રુથી, નિર્ભય સદા માટે થશે, તેવા પુરૂષ પ્રતિ પ્રેમ સહ, કીર્તિ જઈ પતે વરે, - રથ ધર્મમય તનુરૂપ આ, જગમાં વિજય સાથે ફરે. વિભીષણ કરો ચિંતા નહી, એ રથ અમોને પ્રાપ્ત છે,
અગ્રે અને પાછળ બધે, બ્રહ્મત્વ અમને વ્યાપ્ત છે તેત્રીશ કોટિ દેવતા, આ રથ વિષે પ્રીતિ ધરે;
માટે અમારે દેહ આ, વિજયી થવાને આખરે.
૭
જામસૈન્ય. (૩૭)
હરિગીત. બલીન મુજને જાણીને, કંદર્પ ધસિમસ આવતો,
પશુ પક્ષિઓના વૃન્દને, સસ્નેહ સાથે લાવતો; રણધીર લક્ષ્મણ આપે છે, મુજ સાથએ પવને કહ્યું
ત્યારે અહીં તમ્મુ સહિત, સ્થાનક પ્રબળ કામ કર્યું. વૃક્ષ ઉપર નાનાવિધા, વેલ્લી ઘણું વીંટાઈ ગઈ;
તે તબુ છે કન્દપના, પ્રત્યક્ષ દરસે આ અહીં, ઉંચાં ઊંચાં આ તાલ તરૂ, સુન્દર પતાકા ફરફરે;
કદલી તણું સદ્ વૃક્ષનાં, પત્રે વજાઓ વિસ્તરે. ૨
* પંપા સરોવરના ઉપકંઠમાં શ્રી રામચન્દ્ર વસંતરત તથા કામદેવના સૈન્યની સરખામણી કરે છે.
શ્રી રામાયણમાંથી અનુવાદ
For Private And Personal Use Only