________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) પરિચિત પદાર્થો આપને, નેત્રે થકી વ્હાલા ઘણું;
પણ એ અમને રંચ એક ન, લાગતા સહામણું આસ્માન અવની જેટલો છે, ફેર જતાં મન મળે;
બોલે હવે તે બધુઓ? આ મેળ શી રીતે મળે?૪ અમને અમારે કારણે હાલું, નથી જીવન જરી;
છે લૂછવાં અશ્રુ બીજાનાં, પૂર્ણ ઉત્સાહ ભરી નિજ ઉદર કારણું આપનું, જગદુભવવા મનડું ભળે;
બેલે હવે હે બધુઓ ? આ મેળ શી રીતે મળે? ૫ વ્હાલપ ભર્યા ઉદ્યાનમાં, હાલ૫ સુગંધી આપવી
ઈષ કુટિલતા કૃપણુતાની, વાવણું છે કાપવી; દુ:ખદાઈ વેલ્લી આપને, ઉછેરવી કપટી જળે;
બોલો હવે હે બધુઓ? આ મેળ શી રીતે મળે? ૬ સાચા સનેહી શ્યામનાં, પદ દવા આવો હજી;
ન ; આનન્દ સાગર ઉછળશે, કહો બધાં દેશે તજી; ભક્તિ વિરતિને જ્ઞાનની, હિમાળમાં હૈડું ગળે; તે તે હજી કંઈ બધુઓ? આ મેળ બનેને મળે. ૭
સંસારમાં સુહાણ (૨૦)
મંદાક્રાન્તા. વિશ્વારયે ગમન કરતાં, હર્ષને શોક પિખ્યાં
એકાદ્રિમાં અર્મી ઝરણનાં, શુદ્ધ બિન્દુ વિલકયાં; અન્યાદ્ધિથી વિષમય ઝરા, નીકળે વાર વાર;
હાં? આ વિવે વિષજળ તથા, ઝેર વહેળા અપાર. ૧ એક સ્થાને તનય જનમી, હર્ષ ઉત્કર્ષ આપે
બીજે સ્થાને તનય મરણે, ચિત્તને ગ્લાની વ્યાપે,
For Private And Personal Use Only