________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
સધ, (૭૪)
ઇન્દ્રવિજય છંદ. ધ્યાન ધર્યું પરમેશ્વરનું, પછી અન્યનું ધ્યાન ધરે ન ધરો; પાન કર્યું પ્રભુ પ્રેમ પીયૂષનું, અન્યનું પાન કરે ન કરે; છે સમર્યો જગ નાયક તો પછી, અન્ય સ્વરૂપ સ્મરે ન મરે જે જગનાથ વર્યા ઘટમાં પછી, અન્ય મહાન વરે ન વરો. ૧ વૃત્તિ હઠે અપમાર્ગ થકી પછી, અન્યથી વૃત્તિ હઠો ન હઠે; તેજ ઘટયું નર વીર્ય તણું પછી, અન્યનું તેજ ઘટો ન ઘટે; યુદ્ધ લડ્યા મન સાથ પછી નર? અન્યની સાથે લડે ન લડે; જ્ઞાનનું યાન મહ્યું હટવા પછી, અન્ય સુયાન હટૅન અહા. ૨ વિશ્વ સમુદ્ર તર્યા કદ તે પછી, અન્ય સમુદ્ર તરો ન તરે; શાસ્ત્રનું જ્ઞાન ભર્યું ઘટમાં પછી, અન્યનું જ્ઞાન ભરે ન ભરે; અજ્ઞપણે હયું જે દિલનું પછી, કાચિક શત્રુ હરો ન હરે; જીવન મુક્ત થયા યદિ તો પછી, ભૈતિક દેહ મરે ન મરે. ૩ સત્ય તણું પડી ટેવ જીભે પછી, અન્યની ટેવ પડી ન પડી; નાથ તણા વિરહ ડિ આંખડી, તે પછી અન્ય રડી ન રડી; આત્મ સ્વરૂપની મૂર્તિ ઘડી પછી; અન્યની મૂર્તિ ઘડી ન ઘડી, બ્રહ્મ ખુમારી હઠી મનને પછી અન્ય ખુમારી અહઢી ન હતી;૪ આત્મનું દાન દિધું યદિ તે પછી, અન્યનું દાન દિધું ન દિધું. જે મનડું નિજ સ્વાધીન તે પછી સ્વાધીન અન્ય કિધુ નકિધું, નામ લિધું જગદીશ્વરનું પછી, અન્યનું નામ લીધું ન લીધું માનવ જન્મનું ટાણું સિધ્યું પછી અનસુટાણું સિચ્યું નસિક્યું.૫
For Private And Personal Use Only