SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૮) રમીટિનતિ. (પ) હરિગીત-છન્દ. નહિ જ્ઞાનની આરાધના, નહિ દેવની આરાધના નહિ સત્યને અભ્યાસ, “જ્યાં” નહિ શાંતિ કેરી સાધના નહિ સામ્ય ભાવે જ્યાં વસે, વિદ્યા તણું વિમળી લતા; એ કુલીનતા કહેવાય નહિ, છે કારમી એ કુટિલતા. પરમાર્થ કારણ જે તણી, મનવૃત્તિઓ ધાતી નથી, વર્ણાશ્રમની હદ વિષે, જેની મતિ થાતી નથી; જે આપ કેરા કારણે, સંકટ બીજાને આપતા; - એ કુલીનતા કહેવાય નહી, છે કારમી એ કુટિલતા. પુત્રી બદલ પરણે પિતા, બેની બદલમાં ભાઈ જ્યાં; નિજ પુત્રવધૂને લાવવા, મતિ પાપમાં પથરાઈ જ્યાં; દુઃખમાં ડુબાવે દીકરીને, હું પિતા છું બેલતા; એ કુલીનતા કહેવાય નહીં, છે કારમી એ કુટિલતા. ૩ આચારનું જ્યાં નામ નહિ, સુવિચારનું જ્યાં નામ નહિ; અપકર્મનું ફળ આપતું, પેખ્યું પ્રભુનું ધામ નહિ, સચ્ચાઈની નિંદા કરે, દીવ્યાત્મ જનને દુભવતા;. એ કુલીનતા કહેવાય નહિ, પણ કારમી છે કુટિલતા. સાચા સુપંથે ચાલતા, ભગવાનને ભય રાખતા; પરને મળે સુખ જે રીતે, એવું રસનથી ભાખતા; પુત્રી તણું સારૂં ચહે, જગ સર્વનું હિત જાણતા; * એ કુટિલતા કહેવાય નહિ પણ, સુખમયી છે કુલીનતા. ૫ પરમાર્થની જ્યાં પૂર્ણતા, અપમાર્ગની જ અપૂર્ણતા; ધનમાલ કેરી ગણુતા, પણ ધર્મ કેરી મુખ્યતા; ઉંચા ગુણેની ઉગ્રતા, નીચા ગુણેની નીચતા; એવા સુકુલની લ્હાયમાં, પરમાત્મ આવે પ્રીછતા. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy