SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાઓ [૭૦] જીની શક્તિને વિકાસ કરી શકતું નથી. જે સ્વાધિકારે અનાસક્તિથી સદાચારને, સમ્પ્રવૃત્તિને અને ધર્મકર્મોને કર્યા કરે છે તેના સમાન વિશ્વમાં કલ્યાણકર્તા-ઉન્નતિકર્તા કોઈ નથી. કંઈ પણ શુભ કર્મ કરવું તે કરવું એ જ પિતાની તથા વિશ્વની ઉન્નતિને મૂળ મંત્ર છે. ધર્માચારોને લેપથતાં સંઘ-સમાજ-રાજ્ય વગેરેની પ્રગતિનાં મૂળ ઉખડી જવાનાં-એમાં અંશમાત્ર સંશય નથી. પાશ્ચાત્યાની કેટલીક કૃત્રિમ ઉન્નતિનું એકદમ અનુકરણ કરીને પીવીય ધર્માચારને નાશ ન કરે જોઈએ. ૨૩ જૈનદર્શનમાં ચાર ભાવનાની મહત્તા ૬૭૭-૭૮ લેકમાં મૈચાદિ ભાવની વૃદ્ધિ માટે મનવાણીકાયાથી અને લક્ષ્મીથી યેગ્ય જે કર્તયકમ લાગે તે કરવું જોઈએ. મૈત્રીઆદિ ભાવનાઓ ભાવવી સહેલ છે પણ તે પ્રમાણે વિશ્વજીવોની સાથે વર્તવું મુશ્કેલ છે. ક્રોધાદિક પ્રસંગે મંત્રી ભાવના ન રહી તો પશ્ચાત્ મત્યાદિ ભાવના ભાવવા માત્રથી કંઈ વળતું નથી. મૈત્રીઆદિ ચાર ભાવનાઓથી હદયની શુદ્ધિ થાય છે અને તેથી રાજગ વગેરે રોગોની પ્રાપ્તિ થાય છે. પરસ્પર વિરૂદ્ધધમી મનુષ્ય પર મિત્રીભાવ આવતાંની સાથે હૃદયની શુદ્ધિ થાય છે. પ્રમોદ ભાવનાની સિદ્ધિ વિના ધમીને વેષ પહેરવાથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. મિત્રીભાવના અને પ્રાદભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. કરુણાભાવનાને અને મૈત્રીભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરુણાભાવના વગેરેની આવશ્યકતા છે. મધ્યસ્થ ભાવના પ્રટયા વિના સત્યધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. For Private And Personal Use Only
SR No.008607
Book TitleKarmayoga Karnikao Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1963
Total Pages127
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy