________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
દાનની સફળતા કયારે ?
( ૬૮૫ ).
#જ્ઞાનાાિનાનિ યાનિ વિશ્વસેવા विश्वोद्धाराय सद्भक्त्या धर्मविद्याविचक्षणः ॥२२९॥ दानं हि त्यागमार्गस्य मूलं च धर्मकारणम्।
देयं स्वशक्तितो दानं गृहस्थैः साधुभिः शुभम् ॥२३०॥ શબ્દાર્થસહ સંક્ષિપ્ત વિવેચન–અભયદાન, સુપાત્રદાન, ઉચિતદાન, અનુકંપાદાન અને કીર્તિદાન એ પંચ પ્રકારનું દાન છે. દ્રવ્ય અભયદાન, ભાવ અભયદાન, વ્યવહાર અભયદાન, નિશ્ચય અભયદાન, ઉપશમાદિ ભાવે અભયદાન, લૌકિક અભયદાન, લોકોત્તર અભયદાન ઈત્યાદિ અભયદાનના અનેક ભેદ છે–તેનું ગુરુગમથી સ્વરૂપ અવબોધવું. સ્વાધિકારે દેશકાલે ચિતદાન દેવામાં પ્રવૃત્ત થવું. સમ્યફતત્વવિચારકગૃહસ્થોએ અને ત્યાગીઓએ સ્વાધિકારે પાંચ દાન પૈકી જે કાલે જે ક્ષેત્રે જે દાન કરવું ઉચિત હોય તે સમયે તે દાન કરવું જોઈએ. અભયદાનની વખતે અભયદાન દેવું અને કીર્તિદાનના પ્રસંગે કીર્તિદાન દેવું. સુખકારક દાનસમાન અન્ય કઈ ધર્મ નથી. શ્રી તીર્થકરે દીક્ષા ગ્રહણપૂર્વે એક વર્ષપર્યંત દાન દે છે. દાન-શીલ તપ અને ભાવ એ ચારમાં પ્રથમ દાનની મહત્તા છે. દાનગુણ ખીલ્યાપશ્ચાત્ શીલ ગુણ ખીલે છે અને શીલગુણની પ્રાપ્તિ થયા પશ્ચાત્ તપ ગુણની શક્તિ ખીલે છે. તપની પ્રાપ્તિપશ્ચાત ભાવગુણ ખીલે છે. દાનગુણની સિદ્ધિ પશ્ચાત્ બ્રહ્મગુણપાલનની યેગ્યતા પ્રાપ્ત થાય છે. જેની દ્રવ્ય અભયદાન અને ભાવઅભયદાન દેવાની ચોગ્યતા પ્રાપ્ત થઈ છે તે પંચેન્દ્રિય વિષયોને જીતીને દ્રવ્યબ્રહ્મચર્ય તથા ભાવબ્રહ્મચર્ય શકિતની પ્રાપ્તિ કરી શકે છે. વિશ્વના શ્રેયઃ માટે પ્રવૃત્તિ કરનાર વિશ્વસેવકોએ અન્નદાન, જ્ઞાનદાન, વસ્ત્રદાન, પાત્રદાન, વિદ્યાદાન આદિ દાન સ્વશકિત પ્રમાણે નિષ્કામભાવથી દેવાં જોઈએ. ધર્મવિદ્યામાં વિચક્ષણવિધસેવકોએ વિદ્ધારક સર્વ પ્રકારની માનસિક, વાચિક, કાયિક, આત્મિક-ધન અને સત્તાની શભ શકિતનાં વિશ્વજીવોને દાન દેવાં જોઈએ. જેટલું વિશ્વને નિષ્કામવૃત્તિથી દેવામાં આવે છે તેના કરતાં અનન્તગણું પ્રાપ્ત થાય છે. જેવું દેવું તેવું લેવું એ કુદરતને કાયદે છે. સૂર્યકિરણોદ્વારા જેટલું સાગર-નદી-તળો. વગેરેમાંથી જલ ખેંચાય છે તેટલું વાદળાં મારફત પુનઃ વિશ્વજીને મળે છે. યાચિતદાન દેવાની પ્રવૃત્તિને મરણને પણ ત્યાગ ન કરવો જોઈએ. દાન દેવામાં હારે અધિકાર છે પરંતુ તેના ફલની ઈરછા કરવાને ત્યારે અધિકાર નથી. મનથી, વાણીથી, કાયાથી, લકમીથી અને સત્તાથી રજોગુણી દાન તમોગુણી દાન અને સાત્વિક દાન કરી શકાય છે. રજોગુણ અને તમોગુણી દાનને ત્યાગ કરીને સાત્વિક ગુણવૃત્તિથી દાન દેવું જોઈએ. અપ્રશસ્ય અવનતિકારક દાનેને ત્યાગ કરીને પ્રશસ્ય પ્રગતિકારક જે જે દાને જે જે
For Private And Personal Use Only