SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. શકે છે. જ્ઞાનોદય કાલમાં ધર્મની વ્યાપક્તા કરવા સર્વ ધર્મીય મનુષ્ય પ્રયત્ન કરે છે પરંતુ જેઓ ધર્મને આચારમાં મૂકીને બતાવે છે તેઓનો ધર્મ સર્વત્ર વિશ્વમાં પ્રસરે છે. જે ધર્મમાં દુનિયાના મનુષ્યોને રસ પડતું નથી તે ધર્મ છે કે સત્ય હેય વા મહાન હોય તથાપિ તેની સર્વત્ર વ્યાપકતા થતી નથી. ધર્મનું અસ્તિત્વ રાખવું એ ધાર્મિક મહાત્માઓના સદાચારો પર આધાર રાખે છે. રાગદ્વેષ, અહંતા, ઈર્ષા, નિન્દા વગેરે જેઓના હદયમાં નથી એવા કરુણાસાગર મૈત્રીભાવનાવાળા મહાત્માઓથી ધર્મની વિશ્વમાં સજીવનતા રહે છે. દ્રવ્યક્ષેત્રકાલાનુસારે સદગુણી કર્મયોગી મહાત્માઓ ધર્મને સુયુકિતથી વિશ્વજનેમાં ઉપદેશાદિવડે પ્રચારી શકે છે. પુણ્યબંધાદિકારક જે જે શુભક, પુણ્યકર્મો, ધર્મકર્મો કે જેઓની ઉપયોગિતા ધર્મશાસ્ત્રોમાં દર્શાવી છે તેઓને વિશ્વમાં પ્રચાર થવા માટે ઉપદેશ દેવો જોઈએ. વિશ્વજનના ભિન્નભિન્ન અધિકાર છે તેથી એક સરખાં પુણ્યબંધકારક ધમનુષ્ટાનોને વા ધર્મકર્મોને સર્વ મનુષ્ય આચરી શકે નહીં. પુણ્યકર્મોમાં સ્વાધિકાર સર્વ મનુષ્ય ભિન્નભિન્ન પ્રવૃત્તિ કરે છે તેમાં મુઝાવું ન જોઈએ એમ પૂર્વ લેકમાં કથવામાં આવ્યું છે. અને ધર્મની પ્રાપ્તિ કરાવવા માટે સેવાદિસાધ્યધર્મપ્રભાવના કર્મ કરવું જોઈએ. દરરોજ મનુષ્યએ દાનસેવાદિવડે અને ધર્મને લાભ થાય એવાં સત્કર્મો કરવા જોઈએ. ધર્મની પ્રભાવના કરનારા આઠ પ્રકારના પ્રભાવકે છે. તેનું જૈનશાસ્ત્રોમાં વિશેષતઃ વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મની પ્રભાવના કરનારાઓ જ ખરેખર ધર્મના રક્ષકે છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓમાં અદ્ભુત સામર્થ્ય રહેલું હોય છે–તેને સામાન્ય બુદ્ધિવાળાઓને ખ્યાલ આવી શક્તો નથી. અનેક શુભ કર્મોથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. જ્ઞાનદાન, અન્નદાન, વસ્ત્રદાન, સુપાત્રદાન, કીર્તિદાન, અનુકંપાદાન, અભયદાન, ધર્મદાન, અનુકંપાદાન, બ્રહ્મદાન આદિ અનેક પ્રકારનાં દાને કથેલાં છે. સેવાઓ પણ અનેક પ્રકારની કથેલી છે. દાન અને સેવાથી સર્વ જીવોને ધર્મ તરફ આકર્ષી શકાય છે. સાત્વિક દાન અને સાત્વિક સેવાથી આત્માની શક્તિ ખીલે છે અને પુષ્પની આસપાસ જેમ ભ્રમર ગુંજે છે તેમ તેવા કર્મયેગીની આસપાસ ધર્મીમનુષ્યને સમૂહ ભેગે થાય છે અને તેના વિચારોને અને આચારેને અનુસરે છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓ અનેક પ્રકારની તેમને યોગ્ય લાગે એવી ધાર્મિક પ્રવૃત્તિ કરે છે. તેઓ અમુક જાતના વ્યવહારમાં એકાંતે બંધાતા નથી, તેઓને મૂળ ઉદ્દેશ ધર્મની પ્રભાવના કરવાને હોય છે તેથી તેઓ ધર્મની પ્રભાવના કરીને સ્વસમાન અનેક ધર્મપ્રભાવકોને પણ વિશ્વમાં ઉત્પન્ન કરી શકે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મની પ્રભાવના કેવી રીતે કરી હતી તે તેમના ચરિત પરથી સ્પષ્ટ અવબેધાય છે. સત્તાવંતોને, લક્ષ્મીમંતને અને વિદ્વાનોને ધર્મમાં વાળવાથી તથા ધર્મની સ્થાપના થાય એવાં ભાષણે અને લેખ લખવાથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. ધર્મની પ્રભાવના કરનારાઓની ખરેખર જે ધર્મમાં વિશેષ સંખ્યામાં હોય છે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy