________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કમંયોગ ગ્રંથ-સવિવેચન.
જોઈએ. રજોગુણી આહાર અને તમોગુણી આહાર, રજોગુણી વિચાર અને તમે ગુણ વિચાર રજોગુણ કર્મ અને તમોગુણ કર્મનો નાશ થાય અને સાત્વિકવિચારે સાત્વિક આહાર તથા સાત્વિક પ્રવૃત્તિ વધે તે માટે સદબોધ આપવો જોઈએ. લેકેને તે માર્ગે દોરવા અન્ય ઉપાયો લેવા જોઈએ. સ્વદેશ અને જ્ઞાતિલોકોની ઉન્નતિ માટે સમ્યગ વ્યવસ્થાપૂર્વક શિક્ષણાદિક દેવું જોઈએ. ધર્મસેવકસજજનોએ સ્વદેશમાં અને જ્ઞાતિસેવામાં યથાયોગ્ય કંઈ કરવું જોઈએ. દુનિયામાં સર્વ જીવોને શાન્યર્થ ઔષધ અને વસ્ત્ર આદિ ગ્ય જે કંઈ હોય તે આપવું જોઈએ અને તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મજ્ઞાનવિદ્યાપીઠ અને વ્યાવહારિક વિદ્યાપીઠેની સર્વત્ર સ્થાપના કરવી જોઈએ. ધમળે તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી ધર્મવિદ્યાપીઠે સ્થાપવી જોઈએ. સમસ્ત વિશ્વમાં રાગદ્વેષના ક્ષયને માટે સબોધને ફેલા કરે જોઈએ. રાગદ્વેષરૂપ કષાયત્યાગ વિના શ્વેતાંબરમાં, દિગંબરમાં, વૈદિકમાં, બૌદ્ધમાં, ખ્રિસ્તી વગેરે કોઈ ધર્મ–મતપંથમાં રહેવા માત્રથી મુક્તિમોક્ષ થતો નથી. જે જે અંશે રાગ દ્વેષનો ક્ષય થાય છે તે તે અંશે આત્માને ધર્મ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયવિના સત્યજ્ઞાનની તથા સત્યવ્રતોની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેનામાંથી સર્વથા રાગદ્વેષ ટળી ગયા હોય છે તેનામાં કેવલજ્ઞાનદર્શન વગેરે ગુણે પ્રકટી શકે છે અને તેજ સત્યધર્મને સર્વજીને યેગ્ય-સાપેક્ષધર્મને ઉપદેશ દઈ શકે છે. જે જે અંશે રાગદ્વેષરૂપ કષાય ટળે છે તે તે અંશે કેઈપણ મનુષ્ય મહાત્મા બની શકે છે. વિશ્વમાં રાગદ્વેષના ઉપશમ વિના સત્તાધારી લક્ષ્મીધારી વિદ્યાધારીઓને જરા પણ સત્ય શાન્તિ મળવાની નથી. રાગદ્વેષના ક્ષયવિના નીતિધર્મને પણ સમ્યફ પાળી શકાતું નથી. નીતિધર્મની વિશ્વમાં સર્વત્ર વૃદ્ધિ કરવી હોય તો રાગદ્વેષનો ક્ષય થાય એ ઉપદેશ આપવો જોઈએ-એમ વીતરાગવરપ્રભુ ઉપદેશે છે. રાગદ્વેષના ઉપશમ વિના સત્તા લક્ષમી વિદ્યા અને રાજ્યથી વિશ્વજનોને સત્યશાંતિ વગેરેને લાભ સમર્પી શકાતો નથી. વિશ્વવર્તિજીના દુઃખને નાશ કરવા માટે અનેક શુભપાવડે વિશ્વસેવા કરવી જોઈએ. વિશ્વોદ્ધારક સજજને સાત્વિક બુદ્ધિપ્રવૃત્તિપૂર્વક વિશ્વસેવાનાં સૂત્રને અનુસરવાં જોઈએ. સમસ્ત વિશ્વમાં સર્વજીને એકસરખી રીતે શાતિસુખ મળે એવી રીતે વિરોદ્ધારક સજજનેએ વિશ્વસેનાની જનાઓને ઘડીને તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. કર્મનીની દશા પ્રાપ્ત કર્યાથી દેશસેવા સંઘસેવા, સામાજિક સેવા રાજ્ય સેવા અને છેવટે વિશ્વસેવા કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. કર્મચગી સજ્જનોએ વિશ્વજનોની સર્વ પ્રકારની ઉન્નતિઓની સેવાર્થે વિશ્વવિદ્યાલય વગેરેની સ્થાપના કરવી જોઈએ. સર્વજનોપકારી, સર્વજીપકારી વિશાલવ્યાપક દષ્ટિ થયા વિના વિશ્વવિદ્યાલયે વગેરેની સ્થાપના કરી શકાતી નથી. કૂપદષ્ટિને નાશ થયા પશ્ચાત્ અનંતસાગર જેવી વિશાલદષ્ટિ થવાની સાથે ભેદની-પ્રભેદની માન્યતાઓનો વિલય થાય છે. તેવી રીતે વિશ્વહિતકારક કર્મગીઓ જેઓ થાય છે, તેઓની સર્વ પ્રકારની સંકુચિત મુદ્રષ્ટિઓને વિલય થાય છે. તેઓ અનંત
For Private And Personal Use Only