________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક મનુષ્યની આવશ્યકતા.
નથી. ગુણે વિનાને ધાર્મિક ક્રિયાને ઘટાટેપ નકામો છે. એવં અવધીને કાર્યદષ્ટિથી અમુક જાતના વિચારવ/લમાત્રથી સંકુચિત બની ગુણેની પ્રાપ્તિ કરવામાં પાછા ન હઠવું જોઈએ. મનુષ્યને દેખીને જે હદયમાં દ્વેષ ધારણ કરે છે તથા દેશકુલાહિભેદે મનુષ્ય વગેરેમાં પરસ્પર ભેદભાવ ધારણ કરીને મનુષ્યને આત્મવત્ અવલોકી શકતો નથી તે ધાર્મિક બની શકતા નથી. અમુક પંથના અમુક ધર્મના નામે ગણતા સર્વ મનુષ્યમાં દયાદિગુણે સંપૂર્ણતયા ખીલ્યા હોય વા ખીલે છે એ સર્વથા નિયમ બાંધી શકતા નથી. જેનામાં ઉદાર ભાવના છે અને સર્વ જીવોની ઉન્નતિ કરવા આત્મભોગ આપે છે તે ધાર્મિક મનુષ્ય ગણાય છે. સદ્દગુણોથી ગમે તે દેશને અને ગમે તે જાતિને મનુષ્ય ધર્મી બની શકે છે. જનધર્મીઓના અસ્તિત્વ ઉપર જૈન ધર્મના અસ્તિત્વને આધાર રહે છે. જૈનધાર્મિકેના અસ્તિત્વની સંરક્ષા માટે દેશકાલાનુસાર જે જે ઉપાયે આદરવા જોઈએ તે આદરવામાં આવશે તો જેનધાર્મિકેનું વિશ્વમાં અસ્તિત્વ રહી શકશે. જૈનેની સંખ્યા હાલ તેર લાખની છે. દેશકલાનુસારે જૈન ધાર્મિકેનું અસ્તિત્વ રહેવા વિશાલ દષ્ટિથી ઉપાય લેવાની જરૂર છે. વિશાલ દષ્ટિ અને આત્મવત્ સર્વ જીવને ગણી તેઓની સેવા કર્યા વિના ધાર્મિક મનુષ્યની વૃદ્ધિ અને તેઓનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી. સર્વ મનુષ્યને ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, પરંતુ તેઓની દષ્ટિમાં સુધારો થાય તથા તેઓનામાં ગુણે પ્રકટે એવાં કર્તવ્ય કર્મો કર્યા વિના કંઈ કરી શકાતું નથી. ગમે તે મનુષ્ય સદ્ગુણો વડે ધાર્મિક બની શકે છે. પરમાર્થબુદ્ધિથી ધાર્મિકત્વ પ્રાપ્ત થાય છે. ધાર્મિક મનુષ્યના અસ્તિત્વ માટે જેટલી ઉપયોગિતા દર્શાવવી હોય તેટલી ન્યૂન છે. અધમ મનુષ્યોને પણ સુધારી પ્રભુમય જીવન બનાવનારા ધાર્મિક મનુષ્ય છે અને મનુષ્યનાં સર્વસદ્ગુણે પ્રકટાવવાના હેતુભૂત ધાર્મિક મનુષ્ય છે. અએવ ધાર્મિક મનુષ્યનું વ્યવહારમાં અસ્તિત્વ રહે એવા સર્વ ઉપાયે આદરવાની ખાસ જરૂર છે. વર્તમાનકાલદેશાદિ અનુસાર તેઓના અસ્તિત્વ માટે જે જે કર્તવ્ય કર્મો જણાય તે કરવાની જરૂર છે. તેઓના અસ્તિત્વના વિચારને આચારમાં મૂક્યા વિના આ બાબતમાં કંઈપણ કરી શકાતું નથી. વ્યવહારનયને અનુસર્યા વિના ધાર્મિકમનુષ્યની વૃદ્ધિ કરી શકાતી નથી તથા તેઓનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી. ધાર્મિક મનુષ્ય આસ્તિક હોય છે તેઓ સત્વગુણ પ્રવૃત્તિ સેવે છે અને દુર્ગને નાશ કરવા પ્રયત્ન કરે છે. સર્વ જીવોને સુખશાંતિ મળે એવી પ્રવૃત્તિને તેઓ સેવે છે. અએવ ધાર્મિક મનુષ્ય જે દુનિયામાં આવતા રહે અને તેઓની પરંપરા વધે છે તેથી વિશ્વવર્તિજીને અત્યંત લાભ થાય છે. ધાર્મિકમનુષ્યની અસ્તિતા માટે અ૫હાનિ અને મહાલાભ થાય એવી દૃષ્ટિએ કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે. આધ્યાત્મિકનિવૃત્તિ જીવન ગાળીને જેઓ ધ્યાનસમાધિમાં લીન થયા છે, એવા ધાર્મિક મનુષ્યની અસ્તિતાથી
For Private And Personal Use Only