________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહાસક્ત માનવી અસુર જેવો છે.
( ૫૬૫ ).
સેવે છે. મહાસક્ત મનુષ્ય કર્તવ્ય કર્મના ક્ષેત્રમાં પાડાની પેઠે તોફાન કરે છે અને સવિચારરૂપી સરેવરમાં ભેંસની પેઠે મૂવીને સવિચારોને ડહેળી દે છે. મૂળ વાનર હોય, યુવાવસ્થા પામેલ હોય, તેને દારૂ પાયે હોય તેમ તેને વૃશ્ચિક કર હોય તે તે કૂદવામાં અને તોફાન કરવામાં કચાશ રાખતું નથી તત્ મૂઢ મનુષ્ય પણ કર્તવ્યકર્મના ક્ષેત્રમાં તેવું મહાતફાન મચાવે છે, અને પગલે પગલે કર્મ કરતાં મોહથી બંધાય છે. ક્ષાત્રવર્ગનું એ કર્તવ્ય છે કે જ્ઞાની મહાત્માઓનું મૂઢ મનુષ્યથી રક્ષણ કરવું. મૂઢ મનુષ્યો વસુધા કુટુંબ જેવી ઉદાર ભાવનાને સેવી શક્તા નથી. તેઓ તે સામાન્યકર્તવ્ય બાબતોમાં પરસ્પરના આશય અવધ્યા વિના મહાયુદ્ધ મચાવી દે છે, અને વાનરે જેમ સૂગરીને માળો ભાંગી નાખ્યો હતો તેમ જ્ઞાનીઓને શિખામણ આપતાં તેઓ જ્ઞાનીઓને, ગુરુઓને, મહાત્માઓને સતાવે છે. મૂઢ મનુષ્ય માહથી જગમાંથી જે ગ્રહણ કરે છે તેના કરતાં તેઓ ઘણું નુકશાન કરે છે. તેઓ દુનિયાને અલ્પ લાભ કરી શકે છે અને અનંતગુણી હાનિ કરી શકે છે, બેચાર ભાષાના વિદ્વાન થવાથી વા બાહ્યથી સત્તાવાન્ થવાથી મૂઢપણું ટળતું નથી. વક્તા હેય, પંડિત હય, ફિર હોય, લેખક હેય પણ નામરૂપવાળા પદાર્થોમાંથી મહાસક્તિ ટળી નથી ત્યાં સુધી તે મૂઢ મહી ગણાય છે, અને ત્યાં સુધી તે દુનિયાને ગમે તેવા શુભ કર્મથી અ૫લાભ કરી શકે છે અને અનન્તગુણું હાનિ કરી શકે છે. મૂઢ મનુષ્યનાં નિર્દોષ કર્મો પણ સદોષતાને પામે છે. મહાસત મનુષ્ય સાત્વિક કમેને કરે છે તો પણ તે રજોગુણ અને તમોગુણરૂપે પરિણમે છે. મૂઢ મનુષ્ય જેના ઉપર ઉપકાર કરવા ધારે છે તેને પણ ઉપકારના બદલે અપકાર કરે છે. મહાસક્ત મનુષ્ય હડકાયા કૂતરાની પેઠે પિતાની વિષમય વાસનાઓનો અન્યને ચેપ લગાડે છે અને તેથી અન્ય મનુષ્ય પણ વિશ્વનું કલ્યાણ કરી શકતા નથી. મહાસક્ત મનુષ્ય પોતે ઠરીને શાંતિ લેતા નથી અને તેઓ અન્ય મનુષ્યને પણ કરીને બેસવા દેતા નથી. મહાસક્ત મનુષ્યનું હૃદય શુદ્ધ ન હેવાથી અપથ્ય ભક્ષણની પેઠે તેઓ ધર્મક્રિયાઓને પણ બંધનરૂપે પરિણુમાવે છે મહાસક્ત મનુષ્ય દારૂ જેવા હોય છે, તેઓને અગ્નિ જેવી સામગ્રી મળતાં તુર્ત ભડકારૂપે બને છે. મહાસક્ત મનુષ્યની સાંકડામાં સાંકડી દષ્ટિ હોય છે. ભાષાવેષ વગેરેમાં મહાસક્તિ ન્યૂન હોય છે એમ તેઓની મહાસતિ ટળ્યા વિના કથી શકાય નહિ. મહાસત મનુષ્ય જે વ્યાવહારિક બાબતમાં આગેવાન હોય છે તો તે સમયે યુરોપીય મહાયુદ્ધના જેવી દરેક બાબતમાં દશા થયા વિના રહેતી નથી. મહાસક્ત મનુષ્યોથી દુનિયામાં શાન્તિ પ્રવર્તતી નથી. નિર્મોહ કર્મગની દરેક પ્રવૃત્તિને મહાત મનુષ્ય બગાડી દે છે. મહાસકત મનુષ્ય જ વાસ્તવિક દુષ્ટિથી જગમાં રાક્ષસની-દેત્યની ઉપમાને ધારણ કરે છે. મહાસક્ત મનુષ્ય અસુરે છે, અને નિર્મોહકર્મયોગીઓ સુરી સંપદાવાળા છે. નિર્મોહ
For Private And Personal Use Only