SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ પ્રકારનાં કર્મો. ( ૫૫૩ ). આપત્તિકાલથી, પોતાની અને સર્વ મનુષ્યની ઉન્નતિ કરનાર કમેને લોકોના ધમધૈર્યાર્થી તથા લેકની ઉન્નતિ માટે કરવાં જોઈએ. અવતરણ-પ્રીતિપૂર્વક કર્મમાં તલ્લીન થઈને કર્મ કરવાં જોઈએ. श्लोकः यस्मिन् कर्माणि चित्तस्य प्रीतितो मग्नता भवेत् । कर्तव्यं तद्विशेषेण लीनतायोगसाधकम् ॥ १३६ ॥ શબ્દાર્થ જે કર્મમાં પ્રીતિથી મન તન્મય થઈને રહે એવું વિશેષતઃ લીનતાયેગસાધકકર્મ કરવું જોઈએ. વિવેચન –પ્રથમ સાધાવસ્થામાં કર્મચાગીને જે શુભ કર્મ કરવામાં પ્રેમ થત હોય અને જેમાં મનની એકાગ્રતા–લીનતા થતી હોય તે તે કર્મને શેષ પ્રકારે કરવું જોઈએ. આત્મા પિતાના કર્તવ્યને અધિકાર પ્રેમથી તપાસી લે છે. જે કર્મ કરવામાં પ્રેમરુચિ ઉત્પન્ન થતી હોય તે કર્મ કરવામાં આત્માની શકિતનો સારી રીતે આત્મ ગ આપી શકાય છે. કોઈ કાર્ય કરવામાં પ્રેમપૂર્વક લીનતા થાય છે ત્યારે તે કાર્ય સંબંધી પરિણામિકી બુદ્ધિ પ્રકટે છે અને અનેક નવીન શેઠે કરી શકાય છે. એડીસન દરેક શેપના કાર્યમાં પ્રીતિપૂર્વક લયલીન થઈ જાય છે તેથી તેને તે કાર્યમાં સંયમ થાય છે અને તેના પરિણામે તે નવીન શોધખોળ કરીને દુનિયાને આશ્ચર્યમાં મગ્ન કરી દે છે. અમેરિકાના પ્રખ્યાત શેધક એડીસનથી ભાગ્યે જ દુનિયાને કે મનુષ્ય અજાણ હશે. શ્રી હેમચંદ્ર પ્રીતિપૂર્વક શાસ્ત્રાધ્યયનમાં લયલીન થઈ ગયા તેથી તેમના આત્મામાં બુદ્ધિશકિતને અપૂર્વ વિકાસ થયો અને તેના ગે તેમણે અપૂર્વ મહાગ્રન્થની રચના કરી. યુરોપના વિજ્ઞાનશાસ્ત્રીઓ પ્રીતિપૂર્વક કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તેથી તેઓ અહંમમત્વને તે વખતે ભૂલીને કાર્યસંયમથી અનેક શોધ કરે છે તે કંઈનાથી અજાણ્યું નથી. જે કાર્ય કરવામાં જેને ખાસ પ્રેમ હોય છે તે કાર્ય કરવામાં તે વિજયી બને છે. રજોગુણ કર્મ અને તમે ગુણ કર્મમાં પ્રીતિથી મન્નતા થાય-લીનતા થાય તો તેથી આત્માની અને વિશ્વની સત્યેન્નતિ થઈ શકતી નથી. ભગવદ્ગીતામાં ત્રણ પ્રકારનાં કર્મો કચ્યાં છે. नियतं संगरहितमरागद्वेषतः कृतम् । अफलप्रेतुना कर्म यत्तत् सात्विकमुच्यते ॥ २३ ॥ यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः । क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ॥ २४ ॥ अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषं । मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥ २५।। ૭૦ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy