________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૨ )
શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન.
ગીતાર્થ ગુરુની પ્રાપ્તિ કરવી જોઈએ અને ગુરુની સેવાભક્તિ કરીને અધ્યાત્મશાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું અને પશ્ચાત્ ગજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક ગજ્ઞાનને ગુરુગમપૂર્વક અભ્યાસ કર; પશ્ચાત્ એકાન્ત સ્થાનમાં રહીને આત્મધ્યાન કરવું. પશ્ચાત્ ગૃહસ્થાશ્રમ વા ત્યાગાશ્રમના અધિકારે જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હોય તે કરવાં કે જેથી શુભાશુભ વૃત્તિના અભાવે વિશ્વ પદાર્થોમાં બંધાવાનું ન થાય. બાહ્ય પદાર્થોમાંથી શુભાશુભત્વની વૃત્તિ ઉઠતાં પશ્ચાત્ તેમાં રાગદ્વેષથી બંધાવાનું થતું નથી. જગના પદાર્થો કંઈ આત્માને કર્મથી બાંધવાને સમર્થ થતા નથી વા જગતના પદાર્થોમાં શુભાશુભની વૃત્તિ વિના તેના સંબંધમાં આવ્યા છતાં અને તેઓને ઉપયોગમાં લીધા છતાં તેઓ કંઈ આત્માને બાંધવા માટે સમર્થ થતા નથી. જગતમાં આત્મજ્ઞાનથી સ્વાત્માને નિર્મળ પરિણતિએ પરિણુમાવતાં પશ્ચાત શભાશુભ જે જે બાહ્ય વ્યવહાર મનાયેલાં કાર્યો છે તે કંઈ આત્માને કર્મથી બાંધવાને સમર્થ થતાં નથી. જગતની બાહ્ય દૃષ્ટિએ જે શુભાશુભ કાર્યો મનાયેલાં છે તે શુભાશુભ દૃષ્ટિને ત્યાગ કરીને શુભાશુભવૃત્તિથી અતીત થએલ મનુષ્ય તે તે કાર્યને જગતની વ્યવહાર દષ્ટિએ આવશ્યક તરીકે માનીને કરે તેમાં તે બંધાતું નથી—એમ આત્મધ્યાનમાં રમણતા કરતાં અનુભવ આવે છે અને પશ્ચિાત્ બાહ્યમાં શુભાશુભ વૃત્તિથી જે શુભાશુભ મનાયલું હોય છે તે ટળવાની સાથે આત્મા પ્રારબ્ધથી બાહ્યકર્તવ્યને કરતો છતો પણ અકર્તા ગણાય છે અને બાહ્ય પદાર્થોને ભેગપભેગ કરતે છતે પણ તે આન્તરદષ્ટિએ અભેગી ગણાય છે. વસ્તુતઃ આન્તરદષ્ટિ પ્રમાણે જે પ્રવૃત્તિ થાય છે તે યથાયોગ્ય ગણાય છે. આત્મજ્ઞાનીઓ ગૃહસ્થાશ્રમમાં વર્ણકર્માનુસારે પ્રારબ્ધગે બાહ્ય લૌકિક આવશ્યક કર્તવ્ય કાર્યોને કરે છે પરંતુ તેઓ આત્મધ્યાનપ્રભાવથી શુભાશુભ વૃત્તિથી ન્યારા રહી અબંધક અકર્તા અને અભક્તા રહી શકે છે. શ્રેણિક, કૃષ્ણ અને ભરત વગેરેની સમ્યફત્વદૃષ્ટિની અપેક્ષાએ તેવી દશા હતી અને પ્રમત્ત અને અપ્રમત્ત સાધુઓને તેઓના ત્યાગાશ્રમના કર્તવ્ય કાર્યો કરતાં છતાં અકર્તા અતા અને બંધક રહીને ઉપરનાં ગુણસ્થાનકોને પ્રાપ્ત કરે છે એમ આન્તરદષ્ટિએ વ્યાવહારિક કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને વિવેક કરતાં અવબોધાશે. અબંધક અભક્તા અકર્તાપણવાળી આત્મદશાને અનુભવ થાય અને બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં છતાં એવી દશા રહે તે માટે આત્મધ્યાન ધરવાની આવશ્યકતા છે અને તેથી પ્રતિદિન મનુષ્યએ આત્મધ્યાન ધરવું જોઈએ. પરમાત્માને હૃદયમાં સ્મરવા એ ભક્તિ છે. નિર્મલ પરિણામ રાખવા એ ચારિત્ર છે. આત્મધ્યાન ધરવું એ ચારિત્ર છે. પરમાત્મસ્મરણદિવડે કર્તવ્ય કર્મો કરતાં છતાં આત્મા અબંધક રહે છે માટે તેની પ્રાપ્તિપૂર્વક આવશ્યક કર્મો કરવાં જોઈએ.
અવતરણ–આત્મજ્ઞાનપૂર્વક અન્તરનિર્લેપ વૃત્તિથી બાહ્ય કર્તવકાર્યો કરતાં કર્મયોગી કેવો હોય છે તે દર્શાવે છે.
For Private And Personal Use Only