________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રી કર્મગ મંથ-સવિવેચન.
ખરેખર અનાદિકાલથી વત્ય કરે છે અને અનન્તકાલ પર્યત પ્રવર્તશે–એ અબાધ્ય ઉપગ્રહ સંબંધને કદાપિ નાશ થવાનું નથી. પગ જો હાથને મદદ ન કરે અને હાથ જે પેટને મદદ ન કરે અને પેટ જે અન્ય અંગોને મદદ ન કરે તો પરસ્પર સહાય વિના શરીર ઉભું રહી શકે નહિ. જગતમાં ધૂળની પણ આવશ્યકતા સિદ્ધ કરે છે. જીને પરસ્પર એક બીજાને ઉપકાર છે. રાજા ઉપર પ્રજાનો ઉપકાર છે અને પ્રજા ઉપર રાજાનો ઉપકાર છે. ગૃહસ્થો સાધુઓને મદદ કરી શકે છે અને સાધુઓ જ્ઞાનાદિ ઉપદેશવડે ગૃહસ્થને મદદ કરી શકે છે. ચેલાઓ ગુરૂઓને મદદ કરી શકે છે અને ગુરૂઓ ચેલાઓને મદદ કરી શકે છે. આ જગતમાં અન્યની સહાય વિના ઉભું રહી શકાતું નથી. અન્યની સહાય વિના એક ઘડી પણ જીવી શકાય નહિ. વાયુ જે એક ઘડી બંધ થઈ જાય તો દુનિયામાં હાહાકાર વ્યાપી જાય. જલ અગ્નિ વિના ચાલી શકે તેમ નથી. આ ઉપરથી અભિમાન કરનારાઓએ સમજવું કે અભિમાન કરવું એ કઈ રીતે વ્યાજબી નથી. અન્યની સહાયતા વિના જીવી શકાતું નથી ત્યારે મનુષ્ય ક્યી બાબતનું અભિમાન કરવું જોઈએ. અજ્ઞાનાવસ્થામાં કઈ જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે પણ જ્ઞાનદષ્ટિ થતાં અભિમાન એ શબ્દના અર્થને ઉપયોગ કર વ્યાજબી જણાતો નથી. જગમાં છે તેના કરતાં નવું કાંઈ પ્રાપ્ત કરી શકાતું નથી કે જે વડે અભિમાન કરવું યોગ્ય ગણાય. અન્યોની સહાય લીધા વિના જીવી શકાતું નથી. જેથી આપણે અન્યની સહાય લઈએ છીએ તેવી રીતે અન્યોને સહાય આપવારૂપ દેવામાંથી મુક્ત થવા અને સહાય આપવા લાયક જે કંઈ છે તેમાં મમત્વથી નહિ બંધાતાં અને સર્વ આપવું જોઈએ. આપણી પાસે જે કંઇ અન્યના ભલા માટે છે તેમાં સર્વને હકક છે માટે ન્યાયને આદર કરીને તે પ્રમાણે વર્તવામાં અહંવની કલ્પના ન કરવી જોઈએ. અને મદદ ન આપતાં જેઓ અન્યનાં સુખસાધનો પડાવી લઈને અન્ય જીવોને રોવરાવે છે અને તેઓને કંઈ દાન આપતા નથી તેઓ અધર્મમાર્ગોમાં ગમન કરીને પરભવમાં દુઃખની પરંપરા પામે છે. પરવસ્તુની મદદ વિના એક ધા૨શ્વાસ લેવાની પણ જેનામાં તાકાત નથી એવા દુનિયાના મનુષ્યએ અહંવ ત્યજીને અન્યને સહાય આપવી જોઈએ. દયિકલાવપ્રતિ ઉપશમભાવ પ્રતિ ક્ષયોપશમભાવ પ્રતિ ક્ષાવિકભાવ પ્રતિ અને પરિણામિકભાવ પ્રતિ ઉપગ્રહ સંબંધ સદા નિમિત્તકારણ પણે સર્વે જીવોને પ્રવર્યા કરે છે–એમ અનુભવષ્ટિથી સૂકમપણે અવલેતાં સત્યાનુભવ પ્રગટે છે. કેઈપણ વિશ્વવર્તિ પદાર્થને ઉપગ્રડ સંબંધ અન્યની સાથે સંબંધિત હોય છે એવું અનુભવ જ્ઞાનવડે અવાધાય છે. આ ઉપરથી કર્મવેગ યાને પ્રવૃત્તિથી પરસ્પર ઉપગ્રહને મનુષ્યને ખ્યાલ આવી શકે છે. જીવોને પરસ્પર ઉપગ્રડ જાણે કુદરત રીતિએ હોય એવું ઉપગ્રહતત્વના મૂળગર્ભમાં ઊંડા ઉતરીને વિચારતાં અવબોધાય છે. પરસ્પર ઉપગ્રહની આપલેના સૂત્ર-નિયમને સેવ્યા વિના એક
For Private And Personal Use Only