________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
એકીસમે તેવા વિચારો લખવાની પ્રવૃત્તિ શરૂ કરાવી–તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જે જે કાલે જે જે વિચારોની જરૂર હોય છે. તે તે કાલે તે તે દેશીય લેકમાં તે તે વિચારોનાં વાતાવરણે પ્રકટી નીકળે છે. અને તે તે સંબંધી ગ્રન્થ, ભાષણે, પ્રવૃત્તિ થાય છે, અને ભવિષ્યમાં થશે. કઈ પણ દેશ એક સરખે પ્રવૃત્તિપરાયણ રહેતો નથી તેમ એક સરખે નિવૃત્તિપરાયણ રહેતો નથી, પ્રવૃત્તિ પછી નિવૃત્તિ અને નિવૃત્તિ પછી પ્રવૃત્તિ એમ પ્રવૃત્તિ નિવૃત્તિનું ચક્ર, અનાદિ કાલથી ફર્યા કરે છે. કઈ કામમાં નિવૃત્તિ પ્રધાનપણે વર્તે છે અને કોઈ કોઈ કામમાં પ્રવૃત્તિ પ્રધાનપણે વર્તે છે. દિવસ પ્રતિરૂપ છે અને રાત્રી નિવૃત્તિરૂપ છે એમ કાલોત્રભાવભેદે પ્રવૃત્તિ નિવૃત્તિની ગણુતા મુખ્યતા થાય છે. જેનોમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેને મહત્વ આપવામાં આવ્યું છે. કોઈ દેશની, સમાજની, સંઘની, પ્રવૃત્તિ વિના સ્થાયી ઉન્નતિ રહેતી નથી એમ જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે. જેને કામમાં તથા આર્ય દેશમાં પ્રવૃત્તિના સગા સંબંધી પડતી થઈ છે અને જે આ પ્રમાણે ચાલ્યા કરે તે જૈન કેમહિંદુ કોમ વગેરેની પડતી થાય અને તેથી અને ધર્મને નાશ થાય. માટે લોકોને ધર્મ પ્રવૃત્તિ માર્ગને
ઉપદેશ આપવાની ઘણી જરૂર છે એમ ઐતિહાસિક દ્રષ્ટિથી તથા પ્રગતિ દૃષ્ટિથી કર્મગ લખવાની જણાયું અને તેથી સર્વ પ્રકારના શુભ ધર્મોની રક્ષાર્થે કર્મયોગની પુનઃ પ્રવૃત્તિ આવશ્યકતા બળવતી થાય તે માટે કર્મવેગ ગ્રન્થ લખવાની આવશ્યકતા સ્વીકારાઈ. ભગવદ્
ગીતાના કર્મ કરતાં અમારા લખાયેલા કર્મયગમાં જુદી જુદી બાબતોના અનેક વિચારોને લાભ મળી શકે તેમ છે. ભગવદગીતાનો સાર એ છે કે શ્રીકૃષ્ણ પોતે અર્જુનની આગળ ઉપદેશ દે છે અને તેને પ્રવૃત્તિને અધ્યાત્મર્ભિત ઉપદેશ આપે છે અને તેને યુદ્ધ માટે ઉત્સાહિત કરે છે. અમારા લખાયેલા કર્મયોગમાં સર્વ મનુષ્યો સ્વાધિકારે ધમ્ય પ્રવૃત્તિ કરે અને તેને માટે કયા કયા ગુણોની જરૂર છે તેનું વિસ્તારથી વિવેચન કરાયું છે. અમે અમારા સ્વતંત્ર વિચારોને વિના સંકોચે કર્મવેગમાં લખ્યા છે તેમાં જેનાગમથી અવિરુદ્ધપણે કર્મવેગનું વિવેચન લખવાને ઘણી સાવધાનતા રાખી છે.
,
Iછે
જેનાગોમાં–જૈન શાસ્ત્રોમાં કર્મયોગની યાને ધમ્ય પ્રવૃત્તિની અનેક સ્થાને પુષ્ટિ કરવામાં
આવી છે. શ્રી ઋષભદેવે યુગલ ધર્મનું નિવારણ કરીને પ્રવૃત્તિલક્ષણ ધમ આદિ જેનાગોમાં કર્મયો- અનેક ધર્મોની સ્થાપના કરી હતી. ગ્રેવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુને થયાં ગની યાને ક્રિયા- હાલ અઢી હજાર વર્ષ થયાં; તે પૂર્વે અઢીસે વર્ષે શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમાં
ગની પુષ્ટિ. તીર્થંકર થયા-મહાવીરસ્વામીથી પૂર્વે ચોરાશી હજાર વર્ષ પહેલાં શ્રી નેમિનાથ પ્રવૃત્તિને થયા. તે નેમિનાથથી પાંચ લાખ વર્ષ પૂર્વે શ્રી નેમિનાથ થયા. શ્રી નમિનાથની
પૂર્વે ૬ લાખ વર્ષ પહેલાં શ્રી મુનિસુવ્રત સ્વામી થયા. આ પ્રમાણે દરેક તીર્થ કરના શ્રી ઋષભદેવ સુધી કલ્પસૂત્રમાં આંતરાં ગણાવ્યાં છે. શ્રી ઋષભ નિર્વાણથી પચ્ચાસ લાખ કરોડ સાગરઅમે શ્રી અજિતનાથનું નિર્વાણ થયું. તે ઉપર ત્રણ વર્ષ સાડાઆઠ માસ બેંતાલીસ હજાર વર્ષ ન્યૂન એવા પચ્ચાસ લાખ કોડ સાગરોપમે ચોવીસમા તીર્થંકર મહાવીર પ્રભુનું નિર્વાણ થયું. (ભાગવત પુરાણુમાં જે ઋષભદેવનું ચરિત આપ્યું છે તે જેને ઋષભદેવ નથી. જૈનશાઅદષ્ટિએ તે તે ભાગવતમાં કથેલા ઋષભદેવ તે પુરાણોના દેવ છે તેની સાથે જેનોને કંઈ પણ સંબંધ નથી.) મનંતરાની ચૌદ ચોકડીઓ વગેરે લાખો કરોડ ચોકડી જેમાં સમાઈ જાય છે એવા એક સાગરોપમને કાળ છે. આજથી કટોકટી સાગરોપમ પૂર્વે થએલ શ્રી ઋષભદેવે કર્મભૂમિમાં કમં પ્રધાન ધર્મ પ્રવર્તાવ્યા છે.
For Private And Personal Use Only