SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય ? (૪૧૭ ) વિવેચન-કર્મ. અર્થાત્ પ્રવૃત્તિયોગ યાને ક્રિયા વડે જે પરસ્પર એકબીજાને ઉપકાર કરી શકે છે. અતએ કર્મયોગને સ્વાધિકારે આદર જોઈએ. પ્રત્યેકે પિતાની ફરજ બજાવવી જોઈએ. પિતાપિતાની ફરજ બજાવવી એ ક્રિયા વિના બનતી નથી. કોઈ પણ વસ્તુમાં ક્રિયા હોય છે. આ વિશ્વમાં કઈ સૂફમ સ્કૂલ અને અરૂપી-ક્રિયા વિનાને કઈ પદાર્થ નથી. સાંખ્યોએ માનેલી પ્રકૃતિમાં કિયા હોય છે અને તેના આરોપથી પુરુષ પણ ક્રિયા કરતો પિતાને માને છે. પ્રોઃ કથાન, ગુરુ મળિ સર્વરા અહૃાાતિમૂઢામાં વાર્તામિત મળ્યા છેગુણવડે પ્રકૃતિના ક્રિયમાણ કર્મોને અહંકારથી વિમૂઢ થએલ આત્મા પિતે હું કરું છું એમ માને છે. કથ્ય સારાંશ એ છે કે–ચાવત્ આત્માની અહંકારકૃત વિમૂઢ દશા છે તાવત્ તે ક્રિયા છે તેવી દશામાં સાંખ્યદર્શન પ્રમાણે આત્મા અને પ્રકૃતિમાં ક્રિયાત્વ-પ્રવૃત્તિત્વ હોય છે. વેદાન્તદર્શન પૈકી અદ્વૈતવાદ નિર્દિષ્ટ કેવલ બ્રહ્મમાં માયાના અધ્યાપે સક્રિયત્ન વ્યવહરાય છે. એ પ્રમાણે કૈવલાદ્વૈત બ્રહ્મવાદીઓએ દિયત્વની માન્યતા વ્યવહાર માની છે. વિશિષ્ટાદ્વૈત-શુદ્ધાદ્વૈત અને દ્વૈતાદ્વૈતમાં પણ બ્રહ્મમાયા આદિ જે જે પદાર્થો સ્વીકાર્યા છે તેમાં સૂક્ષ્મદ્રષ્ટિથી અવલેવામાં આવે તે કિયાપ્રવૃત્તિ રહેલી અવબોધાશે. બાઈબલ અને કુરાનના આધારે અવેલેકતાં ઈશ્વરમાં જીવોમાં અને જડ પદાર્થોમાં ક્રિયા-પ્રવૃત્તિ અવલેહી શકાય છે. બૌદ્ધદર્શન પ્રમાણે પ્રત્યેક ક્ષણિક પદાર્થોમાં ક્રિયા પ્રવર્યા કરે છે અને તેથી ક્ષણે ક્ષણે પદાર્થ નવું નવું રૂપ ધારણ કરે છે એવું અવબોધાય છે. આર્યસમાજીઓએ જે ત માનેલાં છે તે સર્વ તત્વોમાં કિયા માનેલી છે. જૈનદર્શનકારેએ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને જીવ એ દ્રવ્યમાં કિયા માનેલી છે. ધમસ્તિકાય અધમસ્તિકાય પગલાસ્તિકાય આકાશાસ્તિકાય અને કાલ એ પાંચ દ્રવ્ય અજીવ છે તેને જડતત્વમાં સમાવેશ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યરૂપી છે અને શેષ ચાર અજીવ દ્રવ્ય અરૂપી છે. પડદ્રમાં ઉત્પાદ અને વ્યયની ક્રિયા થઈ રહેલી છે. ધર્માસ્તિકાય પિતાના ચલનસ્વભાવધર્મવડે પુદ્ગલો અને છોને ચાલવામાં સહાધ્ય આપવારૂપ ઉપગ્રહ કરે છે અને અધર્માસ્તિકાય પોતાના સ્થિર સ્વભાવવડે પુદ્ગલેને સ્થિર થવામાં સાહાટ્યરૂપ ઉપગ્રહ કરે છે. આકાશાસ્તિકાય પોતે જીવ અને અજીવ દ્રવ્યને અવકાશ દેવારૂપ ઉપગ્રહ કરે છે. પુદ્ગલ દ્રવ્ય, અન્ય દ્રવ્યને પોતાના સ્વભાવવડે ઉપગ્રહ કરે છે. પુદ્ગલદ્રવ્યના ઉપગ્રહ વિના કેઈ પણ જીવ શાતા વેદી શકે નહિ અને મનુષ્યભવાદિ પ્રાપ્ત કરી શકે નહીં, માટે જીવોને અજીવ પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર છે. સાત ધાતુઓ, હાથપગ, નાડીઓ વગેરે પુગલસ્કોના બનેલા શરીરને ગ્રહણ કરી જીવી શકાય છે અને શરીર દ્વારા આત્માના ગુણોને પ્રકાશ કરી શકાય છે; માટે અજીવ પુદ્ગલ દ્રવ્યને પ્રતિ ઉપગ્રહ ખરેખરી રીતે સિદ્ધ થાય છે. પુદું For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy