________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૦ ).
શ્રી કમથાગ ગ્રંથ-સવિવેચન.
g
શું છે તેને સમ્યગ નિશ્ચય કર્યા વિના રાજ્યનીતિ-ધર્મનીતિ-સમાજવ્યવસ્થા–સંઘવ્યસ્થાવિદ્યાપ્રવૃત્તિ વ્યવસ્થા–આજીવિકા હેતુભૂતકૃષિકર્માદિવ્યવસ્થા-ગૃહ્યકર્મવ્યવસ્થા–ત્યાગાવસ્થા વ્યવસ્થા– સાર્વજનિકહિત પ્રવૃત્તિ-નિયમવ્યવસ્થા અને ચાતુર્વર્ણિક ગુણકર્મવ્યવસ્થા-ઇત્યાદિનું સમ્યમ્ સ્વરૂપ સમજી શકાય નહિ અને વિશ્વશાલાની સર્વ પ્રકારની ઉત્કાન્તિને પરસ્પર અનેકનયષ્ટિએ શું સંબંધ છે તેને સમ્યગૂ વ્યવહાર કરી શકાય નહિ. વિશ્વશાલાના કુદરતી પ્રગતિ નિયમોના અવબોધકો આ વિશ્વશાલામાં કદી પારતંત્ર્ય દિશાને પ્રાપ્ત કરી શકે નહિ અને વાસ્તવિક સ્વતંત્રતાથી કદાપિ ભ્રષ્ટ થઈ શકે નહિ. અસ્તિત્વસંરક્ષકષ્ટિએ વિશ્વશાલાના પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ સંરક્ષવા યોગ્ય છે. વિશ્વશાલાના કુદરતી નિયમોને કદાપિ કે મનુષ્ય સ્વાયત્ત કરી શકે નહિ અને તેને પ્રતિપક્ષી બની તેઓના અચલ અસ્તિત્વને નાશ કરી શકે નહિ. વિશ્વશાલામાં જે જે પદાર્થો કુદરતના કાયદાને અનુસરી ગોઠવાયા છે તેમાં કુદરતનું ડહાપણ છે. તેના આગળ સ્વડહાપણ ગમે તેવું હોય તે પણ અને ચાલવાનું નથી એવું વિચારીને કુદરતના કાયદાઓનું સૂક્ષ્મ અવલેકન કરી વિશ્વશાલાની સાથે સ્વસંબંધ જેવો છે તે નિર્ધારી આત્મોન્નતિના માર્ગ ઉપર સદા પ્રગતિ કરવી એજ વિશ્વશાલાના શિષ્યનું વાસ્તવિક કર્તવ્ય કદાપિ વિસ્મર્તવ્ય નથી. આ વિશ્વશાલાને જે શિષ્ય બનતો નથી તે વિશ્વશાલાને ગુરુ બની શક્તો નથી; અતએવા વિશ્વશાલામાં અનેક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિશ્વશાલાના અનુભવીઓને ગુરુ બનાવીને તેઓના અનુભવોને હૃદયમાં ઉતારી પશ્ચાત્ જે સ્વાનુભવ પ્રગટે તેના શિષ્ય બનીને અપ્રગતિમાન થવું જોઈએ. દેવોના કરતાં દુર્લભ એવા મનુષ્યાવતારની દુર્લભતા અવબોધીને અને મનુષ્યજન્મમાં વિશ્વશાલામાં સંપૂર્ણ પ્રગતિ કરી શકાય છે એવું પ્રબધીને આધ્યાત્મિક તના જ્ઞાનપૂર્વક વ્યાવહારિક અને નૈશ્ચયિક પ્રગતિ અને તેના ક્રમમાં સદા પ્રવૃત્તિશીલ બનવું જોઈએ. વિશ્વશાલાના અનુભવીઓ પાસેથી ન્નતિસાધક કર્મોનું અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરીને પશ્ચાત્ સ્વાહૃદયમાં પરિણમાવી સ્વાનુભવિકજ્ઞાન પ્રાપ્ત કરી સ્વાધિકાર દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે ઑન્નતિકર્મસાધક થવું જોઈએ કે જેથી પશ્ચાત પ્રગતિમાર્ગના અનેક હેતુઓનું પ્રસંગે પ્રસંગે સેવન થાય અને આત્મોન્નતિસાધક કર્મચગી બની શકાય. વિશ્વશાલામાં ન્નતિસાધક ગ્રેવીસ તીર્થંકરો થયા તેઓએ - ન્નતિની કઈ સાધનાઓને સાધી હતી તેનું સમ્માન કરવું જોઈએ. ગીતમબુદ્ધમહમદ પૈગંબર-રસ્ત-કણુદ-પતંજલિ-જમિની-ગૌતમ-કપિલ-મુસા-શંકરાચાર્ય-રામનુજ-વલ્લભાચાર્ય ચેતન-કબીર-વગેરે મહાત્માઓએ વિશ્વશાલામાં બ્રિતિસાધક ક્યા ક્યા અનુભવે અને કઈ કઈ પ્રવૃત્તિ દર્શાવી છે તેને પરસ્પર મુકાબલો કરી સમ્યમ્ નિર્ણ કરવા જોઈએ કે જેથી વિશ્વશાળાના વિદ્યાર્થીને કોઈ જાતની ભ્રાન્તિ રહી શકે નહિ. વિશ્વશાલામાં વ્યાવહારિક અને નૈયિક પ્રગતિના માર્ગો કયા કયા છે અને પૂર્વમુનિવરોએ
For Private And Personal Use Only