SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમથાગ ગ્રંથ-સવિવેચન. એમ વસ્તુતઃ અવધી આત્માની શક્તિ છે જે માર્ગે ખીલે તે તે માર્ગે વહન કરવાની સ્વતંત્રતા ખીલવવી જોઈએ. જે દેશના મનુષ્ય સ્વતંત્ર હોય છે અને આત્મસ્વતંત્ર દૃષ્ટિએ પ્રત્યેક કાર્ય કરે છે. તેઓ વિશ્વોન્નતિ સમાજોન્નતિ, સ્વાત્મોન્નતિ આદિ અનેક ઉન્નતિઓને પ્રાપ્ત કરી આ વિશ્વમાં આકાશથી સ્વર્ગને નીચે ઉતારે છે અર્થાત્ કથવાનો સારાંશ એ છે કે-આ વિશ્વને સ્વર્ગ સમાન બનાવી દે છે. કર્તવ્ય કાર્યોની આત્મશ્રદ્ધામાં મરણ જીવન જેઓને સમ ભાસે છે તેઓ વિશ્વની ઉત્ક્રાંતિ કરી શકે છે. જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હોય છે તેઓને જે મનુષ્ય આત્મશ્રદ્ધાથી આરંભે છે તે દેવતાઈ શક્તિને પ્રાપ્ત કરી શકે છે. આત્મશ્રદ્ધાથી કાર્ય કરનાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રવર્ગ સ્વકર્તવ્ય કાર્યની પ્રગતિમાં આગળ વધી શકે છે અને જ્યારે તેઓ કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિ કરે છે પરંતુ તે પ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાથી શૈથિલ્ય ધારે છે ત્યારે તેઓ વિશ્વની સપાટી પર સ્વામિત્વ સંરક્ષવાને પણ અશક્ત બની વિશ્વવર્તિ મનુષ્યોના દાસ બની પરતંત્ર શુકાદિની પેઠે સ્વજીવનને વ્યતીત કરે છે. આ વિશ્વમાં જ્યાં ત્યાં આત્મશ્રદ્ધા વિનાના મનુષ્યો પરાશ્રયી અવલોકાય છે અને તેઓજ અન્ય બળવંત મનુષ્યની મરજીથી વિશ્વમાં જીવવાને લાયક રહી શકે છે. જે મનુષ્યમાં કર્તવ્ય કાર્યો કરવાની આત્મશ્રદ્ધા નથી તેઓ અનેક પ્રકારની શોધ કરી શકતા નથી. આર્યોવર્તના મનુષ્યમાંથી જ્યારથી કર્તવ્ય કાર્યો કરવાની આત્મશ્રદ્ધા શિથિલ પડી ગઈ ત્યારથી તેઓ પરાશ્રયી પરતંત્ર અને દાસ જેવા બની ગયા છે અને તેઓએ યુરોપ વગેરે દેશમાં આગગાડી ટેલીગ્રાફ તાર વગેરેની જે જે શ થઈ તેમાંની એક પણ વા તેના સરખી એક પણ શોધ કરી શક્યા નથી. આર્યાવર્તના મનુષ્ય કર્મ–નસીબ વગેરેમાં જે લખ્યું હશે તે થશે એવું એકાન્ત ઉદ્યમની અવગણના કરી માનીને કર્તવ્યકાર્યોની આત્મશકિત શ્રદ્ધાથી એટલા બધા શિથિલ બની ગયા છે કે તેઓ માંસના લોચાના જેવા ચૈતન્યહીન દેખાય છે. તેઓના મુખપર કર્તવ્ય કરવાની શકિતની આત્મશ્રદ્ધાનું તેજ દેખાતું નથી. તેઓના મનમાં જે બનવાનું તે બનશે એવો ભાવિભાવ એકાન્ત ઠસી ગયેલ છે. તેથી તેઓના ચહેરાઓ ઝાંખા દેખાય છે. આવી આત્મશ્રદ્ધાની શિથિલતામાં જો તેઓ પોતાની ભવિષ્યની પ્રજાને મૂકશે તો ખરેખર તેઓ ભવિષ્યના શાપના પાત્રભૂત થઈને અહિંથી મૃત્યુ પામી અન્ય ભવમાં પણ પરતંત્ર દુઃખી ગરીબ કંગાલ પરાશ્રયી અને અન્યોની ઈરછા૫ર જીવનારા બની રહેશે. આત્માની જ્ઞાનાદિક શકિત ખીલવવાને સ્વતંત્ર આત્મશ્રદ્ધાની જરૂર છે અને તે જેટલા અંશે વિધવતિં જે જે દેશના મનુષ્યમાં ખીલે છે તે તે દેશના મનુષ્યો વિશ્વોન્નતિ કરવાને અધિકારી બની શકે છે. જ્યારે ત્યારે અખિલ વિશ્વવર્તિ મનુષ્ય કર્તવ્ય કાર્યોની આત્મશક્તિની શ્રદ્ધાથી સ્વાશ્રયી બની શકશે. પાણિપતના મેદાનમાંથી જ્યારે આત્મશ્રદ્ધાથી મરાઠાઓ શિથિલ થયા ત્યારે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy