________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
品
સતતાભ્યાસની આવશ્યકતા.
( ૩૮૯ )
આવે તે પશ્ચાત્ અન્ય જે જે કાર્યાં કરવામાં આવે તેમાં પણ પૂક્ત દોષ ઉપસ્થિત થાય છે અને તેથી કાર્ય કરવાની અવ્યવસ્થિતતા આદિ અનેક દષા ઉદ્ભવે છે. અતએવ જે કાર્ય આરંભ્યું હોય તેની પરિસમાપ્તિ કરી અન્ય ઉંચકાર્યાં કરવા માટે આત્માની ચેોગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ; પ્રારંભિત કાર્યની પરિસમાપ્તિ માટે સતતાભ્યાસની આવશ્યકતા છે. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે સતતાભ્યાસ સેવવા જોઇએ-એમ ખાસ હૃદયમાં ધારી રાખવું જોઇએ, વિક્રમરાજાએ સતતયુદ્ધ કાર્યપ્રવૃત્તિવડે શક લોકોને હરાવ્યા અને સ્વરાજ્યની સ્થાપના કરી. સતત સ્વકાર્યાભ્યાસથી કાર્ય કરવામાં પારિણામિક અને કાણિકી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેથી કાર્ય કરવાના અનેક માગેર્યાં ખુલ્લા થાય છે. શ્રીદેવેન્દ્રસૂરિએ સતતાભ્યાસ યોગે અનેક પ્રાર ંભિત પ્રકરણ વગેરેની રચના કરી. શ્રીહરિભદ્રસૂરિએ સતતાભ્યાસયેાગે ચૌદસે ચુમ્માલીશ ગ્રન્થોની રચના કરી. ન્યાયવિશારદ શ્રી યશેાવિજય ઉપાધ્યાયે પ્રાર ંભિત ગ્રન્થ રચના સતતાભ્યાસ ચેાગે એકસાને આ સંસ્કૃત ગ્રન્થાની રચના કરી. શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મજ્ઞાનાનુભવના સતતાભ્યાસના ચેગે અનેક આત્મશક્તિચાને પ્રાપ્ત કરી. શ્રીહેમચંદ્રસૂરિએ ગ્રન્થરચનાના સતતાભ્યાસયેાગે સાડાત્રણ કાટી બ્લેાકેાની રચના કરી. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક મહારાજે જ્ઞાનના સતતાભ્યાસયેાગે બહુશ્રુત ખની તત્ત્વાર્થસૂત્ર આદિ પાંચસે ગ્રન્થાની રચના કરી. વૃદ્ધવાદિએ સતતાભ્યાસાગે કુમુદચંદ્રને વાદમાં હરાવીને સિદ્ધસેન તરીકે સ્વશિષ્ય કર્યાં. એ પ્રથમાભ્યાસ દશામાં એકેક બ્લેક મુખે કરી શકતા હતા એવા મહાત્માએ જ્ઞાનાધ્યયનના સતતાભ્યાસયાગે મહાવિદ્વાન્ બની પોતાની પાછળ સ્વરચિત અનેક ગ્રન્થાને ભાવિ પ્રજાના વારસામાં મૂકી સાક્ષર દેહે અમર થયા છે. કાઈ પણ કાર્યપ્રવૃત્તિના અભ્યાસને વચ્ચમાંથી ન મૂકી દેવા જોઇએ. સતતાભ્યાસવડે પ્રત્યેક કાર્યની સિદ્ધિ સન્મુખ થઇ શકાય છે; એમ બાલ્યાવસ્થાથી તે અદ્ય પર્યંત પ્રારંભી પ્રત્યેક કાર્યના અનુભવથી અબેાધાય છે. અતએવ હે મનુષ્ય ! કોઈ પણ કાર્યની રિસમાપ્તિ માટે સતતાભ્યાસને સેવન કર અને તત્કાય કરવાની આત્મશક્તિની વિવૃદ્ધિ કર ! ! ! સુતતાભ્યાસમાં કંઈ પણ વિલંબ વા વિઘ્ન થવાથી આત્મશક્તિના જે પ્રવાહ સતત વહેતા હોય છે તે મન્દ પડે છે. અતએવ સતતાભ્યાસની યાગીઓએ અત્યંત આવશ્યકતા સ્વીકારી છે. અવિચ્છિન્ન કાલદ્વારા અને ઉદ્યમદ્વારા સતતાભ્યાસ કરવાથી બહુ કાલે જે જે કાર્યા સિદ્ધ થવાનાં હોય છે તે અલ્પ કાળમાં સિદ્ધ થાય છે. અવિલંબ રીતિએ સતતાભ્યાસને નિયમિત વ્યવસ્થાદ્વારા સેવતાં કર્તવ્ય કાર્યમાં વ્યવસ્થિત પદ્ધતિએ આત્મશક્તિને સુવ્યય થાય છે અને તેથી કય કાર્યો વરિત સુવ્યવસ્થાથી કરાય છે. સતતાભ્યાસવડે અર્જુને અસ્ત્રશસ્ત્ર વિદ્યાને તપ કરી પ્રાપ્ત કરી હતી. વિદ્યા કલા યુદ્ધ વ્યાપાર આદિ કન્ય કાર્યાને સતતાભ્યાસથી ત્વરિત સિદ્ધ કરી શકાય છે. ખગોળશાસ્ત્રીઓએ સતતાભ્યાસયોગે અનેક જ્યોતિ સંબધી શોધો કરી છે. વિજ્ઞાનવાદીઓએ સતતાભ્યાસયોગે પાશ્ચાત્યદેશેામાં
For Private And Personal Use Only